Assistant Sub Inspectors recruitment Gujarat: રાજ્ય પોલીસ દળમાં બિનહથિયારી એ.એસ.આઇ. સંવર્ગની ખાલી જગ્યાઓ માત્ર બઢતી દ્વારા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ હાલમાં ખાલી પડેલી બિનહથિયારી એ.એસ.આઇ.ની જગ્યાઓ ભરવા માટે હેડ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ અંગેની પ્રક્રિયા ૩૦મી ઓગસ્ટ સુધી પૂર્ણ કરવા જણાવાયું છે.


રાજ્યના તમામ પોલીસ વડાઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેઓએ પોતાના અધિકારક્ષેત્ર હેઠળની કામગીરી પૂર્ણ કરીને ૩૧મી ઓગસ્ટ સુધીમાં અહેવાલ સબમિટ કરવાનો રહેશે.


આ નિર્ણયથી પોલીસ દળમાં અનુભવી કર્મચારીઓને વધુ જવાબદારી મળશે અને તેમની પ્રગતિના માર્ગ મોકળાશે તેવી આશા સેવાય છે.


આ મામલે હવે વિરોધ પણ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો છે. 


ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટમાં લખ્યું છે કે,  “આસિસટન્ટ સબ ઇન્સ્પેકર ની સીધી ભરતી બંધ કરવાનો સરકારનો નિર્ણય યુવાન વિરોધી છે.... અનુભવીને પ્રમોશન આપવા ઘણી જગ્યાઓ ખાલી છે આપી શકાય તેમ છે. ઘણા બધા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ઘણા લાંબા સમયથી તેમના ઉપલા વર્ગના પ્રમોશનથી વંચિત છે. પરંતુ આ નિર્ણયથી તનતોડ મેહનત કરતા યુવાન ની મજાક સમાન છે ડાયરેક્ટ રીકૃટમેન્ટ બંધ કરી ગુજરાતના મેહનતકસ યુવાનો પાસેથી તક છીનવવાનો નિર્ણય ડાયરેક્ટ એ.એસ.આઇ વધુ પ્રમોશન મેળવી ને ઉપરની કેડરને ખલેલ ન પહોંચાડે તેવા હેતુથી લેવાયેલ હોવાની પૂરી શક્યતા છે.. આવા નિર્ણય ગુજરાતના સૂતેલા યુવાન માટે એલાર્મ સમાન છે...”






ગુજરાત સરકારે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI)ની સીધી ભરતી બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે રાજ્યભરના યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણયને યુવાન વિરોધી ગણાવવામાં આવી રહ્યો છે.


સરકારના આ પગલાં પાછળનું કારણ અનુભવી પોલીસકર્મીઓને પ્રમોશન આપવાનું હોવાનું જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ લાંબા સમયથી તેમના ઉપલા વર્ગના પ્રમોશનથી વંચિત રહ્યા છે અને આ નિર્ણય તેમને લાભ આપવા માટે લેવાયો છે.


પરંતુ આ નિર્ણયની યુવાનો દ્વારા કડક આલોચના કરવામાં આવી રહી છે. તેઓનું કહેવું છે કે આ નિર્ણય તનતોડ મહેનત કરતા યુવાનોની મજાક સમાન છે. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બંધ કરવાથી ગુજરાતના મહેનતકશ યુવાનો પાસેથી તક છીનવી લેવામાં આવી રહી છે.


કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય પાછળનો હેતુ ડાયરેક્ટ ASI ભરતી દ્વારા આવેલા અધિકારીઓ વધુ પ્રમોશન મેળવીને ઉપરની કેડરને અસર ન કરે તે હોઈ શકે છે.