Gujarat Hooch Tragedy Update: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. લઠ્ઠાકાંડને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાય પણ પહોંચી ગયા છે. તેઓ હાલ આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.


શું કહ્યું ભાજપના નેતાએ


આ દરમિયાન ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- લઠ્ઠાકાંડમાં જે લોકોનાં મોત થયા છે તેને લઇને હું દુખની લાગણી વ્યક્તિ કરું છું. પરિવારને દુખ સહન કરવાની ભગવાન શક્તિ આપે.ઝેરનો વેપલો કરનારા રાક્ષસો છે. એક વ્યક્તિના નશો કરવાથી આખો પરિવાર બરબાદ થતો હોય તો નશો ન કરવો જોઇએ. યુવાનોને ઝેરના વેપલાથી દુર રહેવા અલ્પેશ ઠાકોરે ટકોર કરી કહ્યું, દારુ વેચનારા એક પ્રકારના રાક્ષસોને સજા થવી જોઇએ.


 દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ


બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.  દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલ વપરાયું હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે.  દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો. દારૂની બદલે ડાયરેક્ટ ઔદ્યોગિક કેમિકલનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે. ઔદ્યોગિક કેમિકલ અમદાવાદની AMOS કંપનીમાંથી ચોરાયું હોવાનો ખુલાસો થયો છે. કંપનીના વોચમેને મિથાઇલ આલ્કોહોલની ચોરી કર્યાનું સામે આવ્યયું છે. વોચમેન દિનેશ રાજપૂત નામના રીક્ષા ચાલવકે કેમિકલ વેચ્યું હતું. દિનેશ રાજપૂતે જ જયેશને કેમિકલ વેચ્યું હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના પીપળજમાં તૈયાર થયેલા કેમિકલમાંથી દારૂ બન્યો હતો. 


આ પણ વાંચોઃ


Gujarat Hooch Tragedy: રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું


Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, 41 તાલુકામાં વરસ્યું કાચું સોનું


Monkeypox Cases Gujarat: ગુજરાતમાં થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વિગત


India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો