Gujarat job fair 2026: જો તમે પણ ગુજરાતમાં નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ પોઝિટિવ છે. ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગે યુવાનોને નોકરી અપાવવા માટે ચલાવેલી જબરદસ્ત ઝુંબેશ રંગ લાવી છે. આ ઝુંબેશ એટલી સફળ રહી છે કે છેલ્લા 5 વર્ષમાં (વર્ષ 2021-22 થી 2025-26 સુધી) રાજ્યના 6.54 લાખથી વધુ યુવાનોને સારી ખાનગી કંપનીઓમાં નોકરી મળી ગઈ છે. સરકાર દ્વારા ગામેગામ 7,403 જેટલા મેગા રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી જાયન્ટ કંપનીઓએ સીધી જ ભરતી કરીને લાખો યુવાનોનું કરિયર સેટ કરી દીધું છે.

માત્ર એક જ વર્ષમાં 1.15 લાખથી વધુ નોકરીઓ

રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના સીધા માર્ગદર્શન નીચે આ આખું આયોજન થઈ રહ્યું છે. સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે યુવાનોને તેમના ભણતર અને લાયકાત પ્રમાણે યોગ્ય કામ મળી રહે. તમને જાણીને આનંદ થશે કે માત્ર એક જ વર્ષમાં એટલે કે 2025-26 માં સરકારે 1,333 રોજગાર મેળાઓ યોજ્યા હતા. જેમાં 1,15,774 થી વધુ યુવાનોના હાથમાં સીધા નોકરીના નિમણૂક પત્રો (ઓફર લેટર) આપી દેવામાં આવ્યા હતા.

Continues below advertisement
Continues below advertisement

કોર્પોરેટ જગતની જાયન્ટ કંપનીઓ સીધી મેદાનમાં

આ રોજગાર મેળાઓની સૌથી મોટી ખાસિયત એ રહી કે તેમાં કોઈ નાની-સૂની નહીં, પણ દેશની ટોચની કંપનીઓ યુવાનોના ઇન્ટરવ્યુ લેવા માટે સીધી જ કેમ્પસમાં આવી હતી. ટાટા મોટર્સ, સુઝુકી મોટર્સ, હોન્ડા મોટરસાયકલ, રિલાયન્સ જીઓ, આર્સેલર મિત્તલ, ટોરેન્ટ ફાર્મા અને અરવિંદ લિમિટેડ જેવી દિગ્ગજ કંપનીઓએ અહીથી યુવાનોની પસંદગી કરી છે. એટલું જ નહીં, ગ્રીન એનર્જી સેક્ટરમાં કામ કરતી અદાણી સોલર જેવી મોટી કંપનીઓએ પણ મોટા પાયે ભરતી કરી છે. આ 5 વર્ષમાં આખા રાજ્યમાંથી 28,000 થી વધુ નોકરીદાતાઓ (કંપનીઓ) આ રોજગાર મેળાઓનો હિસ્સો બન્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?

કઈ રીતે કામ કરે છે આ સિસ્ટમ?

હવે તમને થશે કે આ બધું કામ કેવી રીતે થાય છે? તો તમને જણાવી દઈએ કે રોજગાર વિભાગ હાલમાં નોકરી શોધતા ઉમેદવારો અને કંપનીઓ વચ્ચે એક કડી એટલે કે 'સેતુ' નું કામ કરે છે. રાજ્યમાં આવેલી 46 રોજગાર કચેરીઓ સૌથી પહેલા કંપનીઓ પાસે જઈને પૂછે છે કે તેમને કેવા ઉમેદવારો જોઈએ છે. ત્યારપછી શાળા, કોલેજ કે ITI નો સંપર્ક કરીને સોશિયલ મીડિયા, ઈ-મેલ અને પત્રો દ્વારા લાયક યુવાનોને જાણ કરવામાં આવે છે. છેલ્લે રોજગાર મેળાના દિવસે જ ઇન્ટરવ્યુની પ્રોસેસ પૂરી કરીને ઉમેદવારની પસંદગી કરી લેવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત@2047' સપનાને સાકાર કરવામાં આપણા યુવાધનનો રોલ સૌથી મોટો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રોજગારી આપવામાં હંમેશા અગ્રેસર રહીને આ ગ્લોબલ મિશનમાં પોતાનું મોટું યોગદાન આપી રહ્યું છે.

આ પણ વાંચોઃ GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત