અમદાવાદઃ રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ જામશે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, 4 દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ રહેવાના એંધાણ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે. 


આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે . પોર્ટ પર 3 નંબરના ભયજનક સિગ્નલ લગાવાયા છે. અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકાના માછીમારોને સૂચના આપી છે. 


અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદ પડી શકે છે. જામનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદ પડી શકે છે. દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ ગાંધીનગર સહિત હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ ચોમાસું ફરી જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના મતે આજે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દીવમાં અતિભારે વરસાદ પડશે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.


આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ,દીવમાં અતિભારે તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.


જ્યારે ગુરુવારે  પણ વરસાદી માહોલ યથાવત રહેશે. પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં અતિ ભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે  વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યારસુધી ૫.૮૫ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૭.૭૦ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. રાજ્યના ૩૬ તાલુકા એવા છે જ્યાં ૯.૮૮થી ૧૯.૬૮ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત પર લો- પ્રેશર સર્જાયું છે. જેના કારણે 40થી 50 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમરેલીના જાફરાબાદ, ગીર સોમનાથના વેરાવળ અને કચ્છના કંડલા બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. બંદર પર ત્રણ નંબરના સિગ્નલ સાથે પ્રશાસને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.