Gujarat Monsoon: રાજ્યમાં અત્યારે મે મહિનો તપી રહ્યો છે, ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે. કેટલાક સ્થળોએ તાપમાનનો પારો હાલના દિવસોમાં 46 અને 47 ડિગ્રી સુધી પણ પહોંચી રહ્યો છે. ત્યારે લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે, જોકે, વરસાદ પહેલા કેટલાક સ્થળો પર વાવાઝોડુ, આંધી અને વંટોળ આવી શકે છે. 


હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં મે મહિનાની ગરમીથી લોકોને રાહત મળી શકે છે. આગામી મહિને દેશભરમાં વિવિધત ચોસાની એન્ટ્રી થઇ શકે છે. જોકે, આ પહેલા આજથી ગુજરાતમાં કેટલાક સ્થળો પર આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. માહિતી પ્રમાણે, આજથી રાજ્યના ચાર જિલ્લાઓમાં આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છથી લઇને બનાસકાંઠા જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળ આવી શકે છે. પાટણ, સુરેન્દ્રનગર પણ આજે આંધી અને વંટોળીની સ્થિતિ રહી શકે છે. આ ચારેય જિલ્લાઓમાં વંટોળ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.


આ વખતે કેમ છે વહેલું ચોમાસું ? તેની પાછળ છે મોટું કારણ, હવામાન વિભાગે ખોલ્યુ રાજ


દેશમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, અને આગામી દિવસોમાં ચોમાસાની પણ એન્ટ્રી થઇ જશે, આ વખતે દેશમાં ચોમાસુ વહેલુ બેસશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે (29 મે, 2024) જણાવ્યું હતું કે ચોમાસું નક્કી કરતાં સમય કરતાં પહેલાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહી કરતા એક દિવસ વહેલું ગુરુવારે (30 એપ્રિલ, 2024) કેરળના દરિયાકાંઠે અને ઉત્તરપૂર્વના ભાગોમાં એન્ટ્રી કરે તેવી શક્યતા છે. આ પહેલા હવામાન વિભાગે કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી. જ્યારે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 5 જૂન છે. આવી સ્થિતિમાં ચર્ચા થઈ રહી છે કે ચોમાસાના અકાળે આગમન પાછળનું કારણ શું છે? હવામાનશાસ્ત્રીઓએ આનો જવાબ આપ્યો છે.


ચોમાસું નક્કી સમય પહેલા આવવાનું કારણ શું છે ? 
સમાચાર એજન્સી પીટીઆઈએ હવામાનશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું કે ચોમાસાના વહેલા આગમનનું એક કારણ ચક્રવાતી તોફાન - વાવાઝોડું રેમલ હોઈ શકે છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, "વાવાઝોડું રેમલ, જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયું હતું, તેણે ચોમાસાનો પ્રવાહ બંગાળની ખાડી તરફ ખેંચ્યો હતો. ઉત્તરપૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું આ એક કારણ હોઈ શકે છે. જોકે વાવાઝોડું રેમલની અસર પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, મણિપુર અને આસામમાં સૌથી વધુ જોવા મળી છે.