= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પોલેન્ડના વિદેશ મંત્રીએ શોક વ્યક્ત કર્યો. પોલેન્ડના વિદેશ મંત્રીએ મોરબી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
30 ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ મોરબી રવાના મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે બચાવ રાહત કાર્ય માટે ભુજ અને જામનગરના ૬૦ તથા નેવીના ૫૦ જવાનો, ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કોલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ૩૦ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ રવાના થયો છે. આજરોજ સર્જાયેલી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે ઘાયલ થયેલા નાગરિકોની બચાવ- રાહત કામગીરીના હેતુસર ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટ, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભુજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ભાવેશ દુબે કુલ ૬૦ જવાનોના સ્ટાફ સાથે રાજકોટ ખાતે ઘાયલોની મદદ કરવા ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે.
જામનગર નેવીના કેપ્ટન શ્રીકાંત ૫૦ માણસો અને બચાવ સાધનો સાથે મોરબી જવા રવાના થઈ ચૂક્યા છે. તદુપરાંત, રાજકોટ મેડિકલ કોલેજ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના 30થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપવા પહોંચી ગયા છે. ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક યુદ્ધના ધોરણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ મોરબી દુર્ઘટનાના પગલે આવતીકાલે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. 31ના બદલે હવે 1લી તારીખથી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થશે. અશોક ગેહલોત અને દિગવિજય સિંહ સહિતના નેતા કાલે મોરબી જશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા છે અને ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે.
1. સંદીપ વસાવા (સેક્રેટરી આર એન્ડ બી)
2. રાજકુમાર બેનીવાલ, IAS
3. સુભાષ ત્રિવેદી, IPS
4. કે એમ પટેલ (મુખ્ય ઈજનેર)
5. ડૉ. ગોપાલ ટાંક
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોતનો આંક 77એ પહોંચ્યો મોરબી પુલ દુર્ઘટનામાં મોતનો આંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 77 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમનો નંબર જાહેર મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતીય સેનાના જવાનો મોરબી રવાના અમદાવાદ ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા મોરબી શહેરના મચ્છુ નદી પર ઝૂલતા પુલની થયેલ દુર્ઘટના માટે ૧ સ્ટેશન ઓફિસર, ૧. સબ ઓફિસર અને 24 ફાયરમેન સ્ટાફ સાથે બચાવ કામગીરી માટે 3 રેસ્ક્યુ બોટ સહિતનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે. મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદી જઈ શકે છે મોરબી પીએમ મોદી હાલમાં કેવડિયા ખાતે હાજર છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી અહીંથી સીધા મોરબી જઈ શકે છે. હાલમાં મોરબી દુર્ઘટનાને પહોંચી વળવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા વધારવામાં આવી છે. 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર મૂકવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
60 લોકોનાં મોત મોરબી કેબલ બ્રીજ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક 60 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મોરબી સિવીલ હોસ્પિટલમાં 60 લોકોના મૃતદેહ પહોંચ્યા છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન શરુ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાજપે સ્નેહમિલન સમારોહ મોકૂફ રાખ્યો ભાજપ દ્વારા 1 નવેમ્બરે આયોજીત સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. મોરબીમાં થયેલી બ્રીજ દૂર્ઘટના બાદ ભાજપે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
32 લોકોના મોતનો પીટીઆઈનો દાવો મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 32ના મોત થયાનો સ્થાનિક સિવિલ હોસ્પિટલના અધિકારીને ટાંકીને પીટીઆઈએ દાવો કર્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન મોરબીમાં થયેલી દુર્ઘટનાને લઇ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. ભાજપના રાજમાં કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે એ પુલ તુટવાનું ઉદાહરણ છે. પાંચ દિવસમાં કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરીને ખુલ્લો મુકવામાં આવેલો પુલ કઈ રીતે તૂટી શકે તે સવાલ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગોપાલ ઇટાલિયાએ દુ:ખ વ્યક્ત કર્યું આજે મોરબીમાં પુલ તૂટવાની બહુ દુઃખદ ઘટના બની એના પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દુ:ખ વ્યક્ત કર્યું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી જવા રવાના સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી જવા રવાના થયા છે. આ પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનાને પગલે માનનીય પ્રધાનમંત્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજકોટમાં સારવાર માટે નવો વોર્ડ ઉભો કરાયો મોરબીની દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ ઉભો કરાયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાની ઘટના અંગે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટમાં લખ્યું કે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PMO તરફથી સહાયની જાહેરાત મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. આ અંગે PMO તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને રૂપિયા 50,000 આપવામાં આવશે.