Gujarat New Cabinet: ભૂપેન્દ્ર પટેલની ટીમ તૈયાર, 10 કેબિનેટ મંત્રી અને 14 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપધ

શપથવિધિને લઈ બુધવારે દિવસભર નાટકીય ઘટનાક્રમ ચાલ્યો હતો.

gujarati.abplive.com Last Updated: 16 Sep 2021 02:20 PM
રાજ્યકક્ષાના મંત્રી

ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનુ મોરડિયા અને દેવાભાઈ માલમે એક સાથે ગુજરાતીમાં શપથ લિધા. આ ચારેય નેતા રાજ્યકક્ષાના મંત્રી બન્યા.

રાજ્યકક્ષાના મંત્રી

મુકેશ પટેલ, નિમિષા સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર અને કીર્તિશિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા.

રાજ્યકક્ષાના મંત્રી

હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી અને મનીષા વકીલે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા. આ પાંચેય રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા.

અર્જુનસિંહ સહિત પાંચ નેતાએ લીધા શપથ

કનુભાઈ દેસાઈ, કિરિટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર અને અર્જુનસિંહ ચોહાણે એક સાથે ગુજરાતીમાં લીધા શપથ. આ પાંચેય કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા.

પાંચ નેતાએ એક સાથે લીધા શપથ

રાજેન્દ્ર ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી અને રાઘવજી પટેલે એક સાથે ગુજરાતીમાં લીધા શપથ. આ પાંચેય નેતા કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા.

થોડી જ વારમાં શરૂ થશે શપથગ્રહણ કાર્યક્રમ

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધીને હવે ગણતરીની મિનિટો બાકી છે, ત્યારે નવા મંત્રીમંડળની શપથવિધિમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભૂપેન્દ્ર યાદવ, બી એલ સંતોષ, સી આર પાટિલ અને નીતિન પટેલ હાજર છે. 


 

આજે સાંજે જ કેબિનેટની નવી બેઠક

ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહ પછી, કેબિનેટની પ્રથમ બેઠક સાંજે 4.30 કલાકે યોજાશે. આ માહિતી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.





મધ્ય ગુજરાતમાંથી કોને કોને બનાવાય મંત્રી ?


ઉત્તર ગુજરાતમાંથી કોને કોને બનાવાય મંત્રી ?


દક્ષિણ ગુજરાતમાંથી કોને કોને બનાવાય મંત્રી ?


સૌરાષ્ટ્રમાંથી કોને કોને બનાવાયા મંત્રી


ક્યા ધારાસભ્યો બનશે મંત્રી


ક્યા ધારાસભ્યો બનશે મંત્રી


ધારાસભ્યોને ફોન આવવાના શરૂ

આજે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના શપથ સમારોહ પહેલા જે ધારાસભ્યોને મંત્રી બનાવવાના છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. 

બ્રેકગ્રાઉન્ડ

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, નવા મંત્રીમંડળની આજે બપોરે દોઢ વાગ્યે શપથવિધિ યોજાશે. જો કે, શપથવિધિને લઈ બુધવારે દિવસભર નાટકીય ઘટનાક્રમ ચાલ્યો હતો. રાજભવન ખાતે જ નવા મંત્રીમંડળની શપથવિધિના પોસ્ટર લગાવી દેવાયા હતા. જેમાં શપથવિધિ સમારોહની તારીખ 15 સપ્ટેમ્બર એટલે કે બુધવારની દર્શાવાઈ હતી.


જો કે, છેલ્લી ઘડીએ આવી ખબર કે શપથવિધિ એક દિવસ માટે ટળી છે અને હવે 16 તારીખ એટલે કે, આજે શપથવિધિ યોજાશે. આ ખબર આવતા જ તુરંત બેનર હટાવી દેવાયા હતા. તો ભુપેંદ્ર પટેલનું મંત્રીમંડળમાં નો-રિપીટ થિયરીનો અમલ કરાશે.


મતલબ કે, રૂપાણી મંત્રીમંડળમાં સામેલ અનેક મંત્રીઓના કપાશે પત્તા. નો-રિપીટ થિયરીનો અમલ થવાની વાત ઉડતાં જ અનેક મંત્રીઓના હોશ પણ ઉડી ગયા હતા. કેટલાક સિનિયર મંત્રીની નારાજગીનો રેલો તો છેક દિલ્લી સુધી પહોંચ્યો હતો.


તો નવા મંત્રીમંડળની રચનાને લઈ સવારથી જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને ચહલપહલ રહી હતી. અનેક ધારાસભ્યો મળવા પહોંચ્યા સી. આર. પાટિલને.. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો તો એક સાથે પાટિલને મળવા પહોંચ્યા હતા.


રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રીએ શપથ લીધા હતા, ત્યાં જ શપથ લેવાશે. શપથવિધિ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથવિધિમાં મંત્રીઓને આવકારવા માટે ફૂલના હાર આવી ગયા છે. તેમજ મહેમાનો માટે ખુરશીઓ પણ આવી પહોંચી છે. તેમજ તેમના બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.