| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Gujarat Panchayat Election 2021 Results: સૌરાષ્ટ્રની કઈ મોટી જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી? જાણો કોંગ્રેસને માત્ર કેટલી સીટ મળી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Mar 2021 08:37 AM (IST)
શરૂઆતતી જ ભાજપના ઉમેદવારોને સરસાઈ રહી હતી અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું અને જિ.પં.ની ૩૦ બેઠકમાંથી ૨૨ બેઠક પર ભાજપની જીત થઈ હતી. જયારે છ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી.
જુનાગઢઃ જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપે ૩૦ બેઠકમાંથી ૨૨ બેઠક પર જીત મેળવી ભાજપે જિલ્લા પંચાયતનું શાસન કોંગ્રેસ પાસેથી આંચકી લીધુ હતું. જયારે ૨૦૧૫માં ૩૦માંથી ૨૭ બેઠક મેળવનાર કોંગ્રેસને આ વખતે માત્ર છ બેઠક જ મળી હતી. તો મજેવડી અને શીલ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી. જેમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવારોને સરસાઈ રહી હતી અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. જિલ્લા પંચાયતની ૩૦ બેઠકમાંથી ૨૨ બેઠક પર ભાજપની જીત થઈ હતી. જયારે છ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. તો જૂનાગઢ તાલુકાની મજેવડી તતા માંગરોળ તાલુકાની શીલ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. આમ ૩૦માંથી ૨૨ બેઠક પર જીત મેળવી ભાજપે કોંગ્રેસ પાસેથી શાસન આંચકી લીધું હતું. અને ૨૦૧૫માં થયેલી કારમી હાર બાદ જિ.પં. પર ફરી વખત ભગવો લહેરાવ્યો હતો. જયારે ૨૦૧૫ની ચૂંટણીમાં ૩૦માંથી કોંગ્રેસને ૨૭ બેઠક મળી હતી. જયારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડીજીટ સુધી પણ પહોંચી શકી ન હતી. અને કારમી હારનો સામનો કરવો પડયો હતો. Junagadh