ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા 725 કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36123 થઈ ગઈ છે. જ્યારે વધુ 18નાં મોત સાથે મૃત્યુઆંક 1945 પર પહોંચ્યો છે. આજે 486 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 25900 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 218, અમદાવાદ કોર્પોરેશનમાં 162, વડોદરા કોર્પોરેશનમાં 56, સુરત-36, રાજકોટ-32, વલસાડ-18, અમદાવાદ 15, ભરૂચ -15,ખેડા 12, પાટણ 12, રાજકોટ કોર્પોરેશન -10, જૂનાગઢ કોર્પોરેશન 9, ગાંધીનગર-9, મહેસાણા 9, સુરેન્દ્રનગર 9, ભાવનગર 9, તાપી 9, વડોદરા 8, બનાસકાંઠા 8, સાબરકાંઠા 8, દાહોદ 8, ભાવનગર કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન-6, પંચમહાલ-6, અરવલ્લી 5, મોરબી 5, ગીર સોમનાથ 4, જૂનાગઢ 4, મહીસાગર 3, નવસારી 3, બોટાદ 3, ગાંધીનગર કોર્પોરેશન 2, કચ્છ 2, નર્મદા 1, અમરેલી 1, છોટા ઉદેપુર 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 4, સુરત 2, જામનગર કોર્પોરેશન 1, અમદાવાદ 1, ગાંધીનગર 1 અને ખેડામાં એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1945 લોકોનાં કોરોનાના કારણે મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25900 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8278 એક્ટિવ કેસ છે, જેમાંથી 72 વેલ્ટીલેટર પર છે અને 8206 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,12,124 ટેસ્ટ કરવામાં આવ્યા છે.