જે ઉમેદવારોને ગુજકેટના વિષયની ઓએમઆરની ઝેરોક્ષ નકલ મેળવવી હોય તો તેના માટેની વિગત પણ બોર્ડ ટૂંક સમયમાં જાહેરાત કરશે. ગુજકેટની પરીક્ષાનું આયોજન 24 ઓગસ્ટે કરાયું હતું.
કોવિડ-19ની ગાઈડલાઈનને અનુસરી ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24 ઓગસ્ટને સોમવારે ગુજકેટ અને 25થી 27 ઓગસ્ટ દરમિયાન ધો. 10 અને 12 સાયન્સ પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.