ગાંધીનગરઃ રાજ્યમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  તો સાથે જ પોરબંદર, ભૂજ અને અમરેલીમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. જેમાં ભૂજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેંદ્રનગર, કેશોદ અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.


Morabi: માળીયા નજીક અકસ્માત, બેકાબૂ ટ્રક ડિવાઇડર ક્રોસ કરી ટેન્કર સાથે અથડાયો, ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત


Accident News:મોરબીના માળીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ટ્રક ડિવાઇડ ક્રોસ કરીને ટેન્કર સાથે અથડાઇ.


મોરબીના માળીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ટ્રક ડિવાઇડ ક્રોસ કરીને ટેન્કર સાથે અથડાઇ. અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર નૌશાદ ખાનને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ થયું છે.ટ્રકની ટ્કકર એટલી જોરદાર હતી કે ટેન્કરની કેબિન છૂટી પડી ગઇ હતી અને એસટી સાથે અથડાઇ હતી. અકસ્માતમાં ટેન્કરના ડ્રાઇવરને પણ ગંભીર ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતની ઘટનાને લઇને માળીયા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ધટના 10 માર્ચ સાંજના સમયે બની હતી.


Mehsana: મહેસાણાની આ હોસ્ટેલમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા


મહેસાણા: કડીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. ઈન્દ્રશીલ યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિદ્યાર્થિની મુળ દાહોદ જિલ્લાના શામલીયા ગામની રહેવાસી છે. છાયાબેન નારણભાઈ નામની વિદ્યાર્થિનીની આત્મહત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. છાયા એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની વિદ્યાર્થિનીની આત્માહત્યાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે. જો કે, વિદ્યાર્થિનીએ આત્મહત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી. હાલમાં નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









ગુજરાતમાં ખાલિસ્તાનીઓના ધમકી ભર્યો મસેજે  લોકોની ચિંતા વધારી છે. રાજયના અલગ-અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્રારા  એક ધમકીભર્યા મેસેજ મળ્યો છે. ગુજરાતમાં ખાલિસ્તાનીઓના ધમકી ભર્યો મસેજે  લોકોની ચિંતા વધારી છે. રાજયના અલગ-અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્રારા  એક ધમકીભર્યા મેસેજ મળ્યો છે.  ઉલ્લેખનિય છે કે, કેટલાક લોકોને ખાલિસ્તાની આંતકીઓનો એક  ધમકી ભર્યો મેસેજ મળ્યો છે. મેસજમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં રહો સુરક્ષિક રહો, આ  પ્રીરેકોર્ડેડ મેસજ કરીને  ધમકી આપવામાં આવી છે.આ આખો મસેજે અંગ્રેજી ભાષામાં છે.  આ મેસેજ કોણે અને ક્યાંથી શા માટે મોકલવામાં આવ્યો છે તે મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે