અમરેલી: રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
abpasmita.in | 30 Aug 2019 07:04 PM (IST)
અમરેલીના દેવળીયા ગામે વીજળી પડયાની ઘટના સામે આવી છે. સામાન્ય વરસાદમાં રહેણાક મકાન પર વીજળી પડી હતી
અમરેલી: અમરેલીનાં રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજુલામાં 2 કલાકમાં 2 ઈંચથી પણ વધુ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રાજુલાના ગોકુલનગર, શ્રીજીનગર અને ડોળીના પટ વિસ્તારમાં પાણી ભરાયા હતા. અમરેલીના દેવળીયા ગામે વીજળી પડયાની ઘટના સામે આવી છે. સામાન્ય વરસાદમાં રહેણાક મકાન પર વીજળી પડી હતી. મકાન પર વીજળી પડતા સામાન્ય નુકશાન થયું હતું. આજુબાજુના ઘરોમાં ઉપકરણોને થોડું ઘણું નુકશાન થયું છે. રાજકોટમાં પણ બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ધીમી ધારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.