અમદાવાદઃ દિવાળી બાદ લગ્નસરાની સીઝન શરૂ થશે. જોકે આ વર્ષે લગ્ન માટે ઘણાં ઓછા મુહૂર્ત હોવાને કારણે વધુ લગ્નો યોજાશે. નવેમ્બર મહિનામાં માત્ર બે મુહૂર્ત 27 અને 30 નવેમ્બરે છે. જ્યારે ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે ત્રણ જ મુહૂર્ત છે જે 7, 8 અને 9 ડિસેમ્બરે આવશે. ઓછા મુહૂર્ત હોવાને કારણે આ વખતે લગ્ન માટેના હોલ બુકિંગ, મંડપ, કેટરર્સ સહિતની વ્યવસ્થામાં મુશ્કેલી થવાની શક્યતા છે.


આ વર્ષે ઉનાળામાં લોકડાઉનને કારણે અનેક લગ્નો મોકૂફ રહ્યા હતા જે હવે દિવાળી પછી યોજાશે. 15 ડિસેમ્બરહથી કમુરતાનો પ્રારંભ થતા જ લગ્નની સિઝનને ફરી બ્રેક લાગી જશે. ત્યાર બાદ ચૈત્ર મહિનામાં ફરી લગ્નની સિઝન આવશે. આ સાલ ઉનાળામાં લગ્ન માટે 32 જેટલા મુહૂર્ત છે. જ્યારે શિયાળામાં માત્ર 7 જ મુહૂર્ત છે. 21થી 28 માર્ચ સુધી હોળાષ્ટક દરમિયાન લગ્ન ન થઈ શકે અને તારીખ 14 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન કમુરતાને કારણે લગ્ન સહિતના શુભ કર્યો થતાં નથી. જ્યોતિષિઓના જણાવ્યાનુસાર આ વર્ષે જાન્યુઆરીમાં લગ્નનું એકેય મુહૂર્ત નથી જ્યારે ફેબ્રુઆરીમાં લગ્નના માત્ર બે જ મુહૂર્ત છે જે 15 ફેબ્રુઆરી અને 16 ફેબ્રુઆરીએ છે.

એપ્રિલથી જુલાઈના શુભ મુહૂર્તો

એપ્રિલ 24, 25, 26, 28, 29, 30
મે 1, 4, 8, 20, 21, 22, 24, 26, 28, 30, 31
જૂન 3, 4, 6, 15, 16, 19, 20, 21, 24, 26, 28
જુલાઈ 1, 2, 3, 13

દિવાળી પછી લગ્નના 5 મુહૂર્ત

27 નવેમ્બર
30 નવેમ્બર
07 ડિસેમ્બર
08 ડિસેમ્બર
09 ડિસેમ્બર