સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હાલ માસ્ક વગર જાહેરમાં નીકળો તો 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનાર લોકોને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનાર લોકોને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે, હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે હવે 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ નાગરિકો પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

નોંધનીય છે કે, સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવાનું શરી કરી દીધું છે. મહત્વનું છે કે અત્યાર સુધી માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો.