Byperjoy Cyclone:હવામાન વિભાગની આગાહી મુજબ 15 તારીખે સવારથી બપોર સુધીમાં માંડવી અને કરાંચી  વચ્ચે વાવાઝોડું ટકરાશે. 14 અને 15 જૂન વચ્ચે દરિયો તોફાની બનશે. 14 તારીખે રાજકોટ , ભાવનગર જૂનાગઢમાં ભારે વરસાદનો અનુમાન છે.


હવામાન વિભાગે બાયપર વાવાઝોડાને લઇને કેટલીક મહત્વની જાણકારી આપી છે. હવામાન વિભાગ અનુસાર 15 જૂને વાવાઝોડુ માંડવીથી પાકિસ્તાન વચ્ચે લેન્ડ ફોલ્સ કરશે એટલે કે ટકરાશે, આ સમયે સાયક્લોનિ અતિ સિવિયર સ્વરૂપમાં ફરેવાશે.હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું 14 જૂન બાદ વાવાઝોડું નોર્થ-નોર્થ ઈસ્ટ તરફ જશે. હાલની સ્થિતિને જોતા  કચ્છમાં ટકરાવવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. . વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર અથવા પાકિસ્તાનની વચ્ચે ટકરાશે આ દરમિયાન એટલે કે,14થી 15 જૂનની વચ્ચે સમગ્ર દરિયોકિનારો ભારે તોફાની બની શકે છે તેમજ પવની ગતિ પણ પણ તીવ્ર રહેશે. .


વાવાઝોડાની અસરના કારણે 14 જૂને મોરબી, રાજકોટ, પોરબંદર, જામનગર, કચ્છ, દ્રારકામાં  ભારે વરસાદ થઇ શકે છે.વાવાઝોડા પહેલા પોરબંદર અને વેરાવળમાં  હાલ પવનની ગતિ વધી ગઇ છે. પોરબંદરમાં દરિયામાં ભરતી અને ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે કરંટ હોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


વાવાઝોડાના પગલે શાળા પ્રવેશત્સવ મોકૂફ


વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં યોજનાર 6 શાળાત્સવ મોકૂફ રાખવામાં આવ્યા છે,. 6 જિલ્લામાં  યોજનાર શાળા મહોત્સવ મોકૂફ રાખાવનો નિર્ણય લેવામાં આવ્યો છે.  દ્રારકા, પોરબંદર,મોરબી, કચ્છ,જામનગર જૂનાગઢના શાળા પ્રવેશ મહોત્સવ  હાલ પૂરતા મોકૂફ રાખવાામાં આવ્યાં છે.


વાવાઝડોના પગલે જિલ્લા પ્રશાસન સજ્જ


આજે સાંજ સુધીમાં દ્વારકામાં એસડીઆરએફની ટીમ પહોંચી જશે. તો દરિયાકાંઠેના વિસ્તાર રૂપેણ બંદર વિસ્તારમાં થી  2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છમાં વાવાઝોડુ  ટકરાવાના અનુમાન બાદ ભયાનક વાવાઝોડાનો સામનો કરવા કચ્છ પ્રશાસન એલર્ટ બન્યું છે. તમામ બોટને કિનારાથી દૂર લંગારવાની કાર્યવાહી હાથ ધરવામા આવી છે તેમજ એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે.


વાવાઝોડાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા બેઠક, જાણો શું કર્યો આદેશ


 હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું સતત તેમની દિશા બદલી રહ્યું છે. હવે તે કચ્છ સૌરાષ્ટ્રમાંથી પસાર થવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ અનુમાન મુજબ વાવાઝોડું 15 જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત  છે. આ સ્થિતિના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યેલો  એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


બેઠકમાં કોણ કોણ રહ્યું હાજર


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્ય ના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓ ની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વીડિયો કોન્ફરન્સથી કલેકટરો સમીક્ષા બેઠક યોજી. તેમણે કલેકટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજજ રહેવા આદેશ કર્યો. આ બેઠકમાં મુખ્ય સચિવ અને રાહત કમિશ્નર પણ જોડાયા હતા.