એક જ દિવસમાં 5 ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, વિધાનસભા સત્ર દરમિયાન 9 MLA સંક્રમિત

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 24 Mar 2021 08:21 AM (IST)

વિધાનસભા અધ્યક્ષ રાજેંદ્ર ત્રિવેદીએ પોઝિટીવ આવનારા ધારાસભ્યોની આસપાસમાં બેસતા અન્ય ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી.

gujarat_assembly

NEXT PREV

રાજ્યમાં દિન-પ્રતિદિન વધતો કોરોનાનો કહેર હવે વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યો છે. વિધાનસભામાં ચાલતા બજેટ સત્ર દરમિયાન મંગળવારે એક જ દિવસમાં પાંચ ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા. તો સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ નવ ધારસભ્યો કોરોનાથી સંક્રમિત થયા.


ગઈકાલે એક જ દિવસમાં ભાજપના ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા કોરોના સંક્રમિત થયા. તો કૉંગ્રેસના ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ, બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અને દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી કોરોનાથી સંક્રમિત થયા છે.


આ અગાઉ અંકલેશ્વરના ભાજપના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વર પટેલ તથા દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ કોરોનાથી સંક્રમિત થયા હતાં. જોકે બંને ધારાસભ્ય હાલ કોરોનામુક્ત થઈ ચૂક્યા છે. તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને સુરતના મહુવાના ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા કોરોના પોઝિટીવ થયા બાદ હાલ તેની સારવાર ચાલી રહી છે.


એક જ દિવસમાં પાંચ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થતા વિધાનસભા અધ્યક્ષ રાજેંદ્ર ત્રિવેદીએ પોઝિટીવ આવનારા ધારાસભ્યોની આસપાસમાં બેસતા અન્ય ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી. વકરતા કોરોનાના સંક્રમણને લઈને સાંજે વિધાનસભા અધ્યક્ષ અને સિનીયર મંત્રીઓની એક બેઠક મળી હતી. જેમાં વિધાનસભા સંકુલમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો હતો. એટલે કે વિધાનસભા સંકુલમાં અધિકારીઓ અને ધારાસભ્ય સિવાય કોઈને પણ પ્રવેશ નહીં આપવામાં આવે.






નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  ગઈકાલે રાજ્યમાં 1255   દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318  એક્ટિવ કેસ છે, જેમાંથી 76   લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે.


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2  અને સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.   રાજ્યમાં અત્યાર સુધી કુલ 4458 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1730  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4   લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 502, સુરત   કોર્પોરેશનમાં 476, વડોદરા કોર્પોરેશનમાં 142,  રાજકોટ  કોર્પોરેશનમાં 117, સુરતમાં 101, ખેડા 24, જામનગર કોર્પોરેશન 23, રાજકોટ 23,ગાંધીનગર કોર્પોરેશન -20, વડોદરા 20, કચ્છ 19, ભાવનગર કોર્પોરેશન 18,  ગાંધીનગર 16, મહેસાણા 16, આણંદ 15, ભરૂચ 15, પાટણ 15, દાહોદ 14, સાબરકાંઠા 14, ભાવનગર 13, જામનગર 13, નર્મદા 13, અમરેલી 11, મોરબી 10, બનાસકાંઠા અને મહીસાગરમાં 9-9 કેસ નોંધાયા હતા.


ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 383, સુરત કોર્પોરેશનમાં 302, વડોદરા કોર્પોરેશનમાં 122, રાજકોટ કોર્પોરેશનમાં 84,  સુરતમાં 19, ખેડા 41, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 22, સાબરકાંઠા 23, મહેસાણા 25, રાજકોટ 14, વડોદરા 20, જામનગર કોર્પોરેશન 10, કચ્છ 17 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  ગઈકાલે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં ગઈકાલે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172  વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.





Published at: 24 Mar 2021 08:19 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.