અમદાવાદ:ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આજે  જળયાત્રા યોજાવવા જઇ રહી છે.  જે જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રારૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.


જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરે જઈ સાબરમતિ નદીમાંથી 108 કળશ ભરીને લાવવામાં આવશે જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ  હાજર રહેશે.તો ભગવાન આજથી 15 દિવસ માટે મોસાળમાં જશે.


અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ 146મી રથયાત્રા છે. જેને લઇને લઈ તડામાર  તૈયારીઓ ચાલી રહી છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે   8થી 10 વાગ્યા દરમિયાન ગંગા પૂજન સહિતની વિધિ સંપન્ન થશે. સમગ્ર વિધિ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.  સુધી સાબરમતી નદીના કિનારે પૂજા કરવામાં આવશે. 


146મી જળયાત્રાની વિધિમાં ઉપસ્થિત રહેશે આ મુખ્ય અતિથિ


આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાશે. ગંગા પૂજન બાદ જગન્નાથજીની ષોડસોપચારે પૂજા કરવામાં આવશે બાદ તેનો જલાભિષેક થશે, આ સમગ્ર વિધિમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી,  અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.


 જળયાત્રાનું શું છે મહત્વ?


ભગવાનની  જલયાત્રા જગન્નાથપુરીમાં નીકળતી હોય થે, જે  પરંપરા મુજબ અમદાવાદમાં પણ આ જલયાત્રા નીકળતી હોય છે વાંચતે ગાજતે ભજન મંડળી રાસ મંડળી ની સાથે ભગવાન સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચશે  અને ત્યાં  ગંગા પૂજન થશે.વિધિવત રીતે યજમાનો દ્વારા સાબરમતી નદી જેને કશી આપી ગંગા કહેવાય છે અને એટલા જ માટે તમામ પવિત્ર નદીના જળનું આહવાન કરીને જલ ભરવામાં આવતું હોય છે,  અભિષેક પૂજન આરતી બાદ ભગવાન  પોતાના મામાના ઘરે થશે.


આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ છે


રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. છેલ્લાં 10 વર્ષથી તેઓ યજમાન બનવાની રાહ જોતા હતા. આ વર્ષે શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલનું ડ્રોમાં નામ ખૂલતાં પરિવારમાં આનંદનો માહોલ છે.