ભાવનગર:રાજ્યમાં ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે વેક્સિન અપાયાનું એક ઘટના સામે આવી છે. જેને લઇને આરોગ્ય વિભાગની બેદરકારીને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે.રાજ્યમાં ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે વેક્સિન અપાયાનું એક ઘટના સામે આવી છે. જેને લઇને આરોગ્ય વિભાગની બેદરકારીને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે.જાણીએ રાજ્યના ક્યાં શહેરમાં આ ઘટના બની છે.


ફરી એકવાર મૃતક વ્યક્તિના નામે કોરોનાની વેક્સિન અપાઈ હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. ભાવનગરમાં મૃતક હિતેશભાઈ શાહને 26 નવેમ્બરે વેક્સિનનો બીજો ડોઝ અપાયાનો આવ્યો મેસેજ આવતાં આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે.




રાજ્યમાં કેટલું થયું રસીકરણ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 13ને પ્રથમ અને 944 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 7497 અને 60896 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24770 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 162332 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,56,452 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,55,56,580 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 58  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 56 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,543 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક   મોત થયું છે. કોરોના વાયરસના સંક્રમણથી આજે વલસાડમાં 1 મોત થયું છે.  આજે  2,56,452 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.