બનાસકાંઠા:  ડીસા મામલતદાર કચેરીના જનસેવા કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર સહિત નિવૃત તલાટી લાંચ લેતા ઝડપાયા છે.  પાલનપુર ACBની ટીમે ઇન્ચાર્જ સર્કલ ઓફિસર રમેશ પ્રજાપતિ અને નિવૃત તલાટી દશરથ ત્રિવેદીને 18,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.  અરજદારની જમીનમાં વારસાઈ કરવા તેમજ ભાઈઓના ભાગની જમીન છૂટી પાડવા તેમજ વેચાણ દસ્તાવેજોની પાડેલ કાચી  નોંધ મંજૂર કરવા લાંચ માંગી હતી. 


સર્કલ ઓફિસરે અરજદારને લાંચની રકમ તેમની કચેરીમાં નિવૃત્તિ પછી કામ કરતા તલાટીને આપવાનું કહેતા ACBએ સર્કલ ઓફિસર અને નિવૃત તલાટીને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.  પાલનપુર ACBએ બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. 


સૌરાષ્ટ્રમાં PGVCLનો સપાટો, ચાર મહિનામાં પકડી 82 કરોડ રૂપિયાની વીજ ચોરી


રાજકોટમાંથી ફરી એકવાર વીજ કંપની PGVCLની મોટી કાર્યવાહી કરી હતી. અહીં PGVCL ટીમે અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરતાં કરોડોની ચોરી પકડી પાડી છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં PGVCLએ ચાર મહિનામાં 82 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી હતી. PGVCLએ એક લાખ 13 હજારથી વધુ વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી જેમાંથી 27 હજાર 254 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી. સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ હતી.                                           


છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ સહિતના વિસ્તારોમાં PGVCLની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ છે આમાં પાંચ દિવસમાં દોઢ કરોડથી વધુની વીજ ચોરીને પકડી પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં PGVCLની ટીમે પાંચ દિવસની દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 44 ટીમો કામે લાગી હતી, આ તમામ ટીમે ચેકીંગની કામગીરી દરમિયાન આજી, ખોખડદડ, મોરબી રૉડ ઉપરના વિસ્તારોમા દરોડા પાડ્યા હતા, આ દરોડામાં લગભગ પાંચ દિવસમાં દોઢ કરોડની વીજ ચોરીને પકડી પાડી હતી. આમાં 108 કનેક્શનમાંથી 83 લાખને વીજ ચોરી પણ પકડાઇ હતી. જોકે, આ કાર્યવાહી કરવા છતાં હજુ પણ PGVCLની ટીમે વીજ ચોરો સામેની આ ઝૂંબેશને યથાવત રાખી છે.


બિપરજૉય વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પાવર ઇલેક્ટ્રિક કંપની PGVCLને થયુ હોવાનું સામે આવ્યુ છે. બિપરજૉય વાવાઝોડાથી PGVCLને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યુ છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં PGVCLને અંદાજિત 125 કરોડથી વધુનો ફટકો પહોંચ્યો છે. આમાં સૌથી વધુ નુકસાન જામનગરમાં થયુ છે, જામનગરમાં 64 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. આ ઉપરાંત અનેક જગ્યાએ PGVCLને નુકસાનમાં ક્યાંક ટીસી ડેમેડ થયા છે, તો ક્યાંક પાવર સપ્લાય લાઇનો તુટી ગઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હજારો વીજપૉલ ધરાશાયી થયા છે. બિપરજૉયના કેરના કારણે સૌરાષ્ટ્રમાં 870 ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. આ નુકસાનીમાં સૌરાષ્ટ્રમાં 38,529 જેટલા વીજપૉલ ડેમેજ થયા છે અને 5224 ટીસી ડેમેજ થયા હોવાનું સામે આવ્યુ છે. PGVCLને સૌથી વધુ નુકસાન રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભુજ, અંજાર, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં કુલ 125.16 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.