Gujarat Corona Case Update: રાજ્યમાં આજે ફરી 300થી વધુ કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા  338 કેસ નોંધાયા છે.  જે બાદ એક્ટિવ કેસનો આંકડો 2310 પર પહોંચ્યો છે જ્યારે 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે સુરતમાં કોરોનાના કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.  કોરોનાના કેસની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 92 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 37, રાજકોટમાં 44 અને વડોદરામાં 28 કેસ નોંધાય છે.


અહીં ક્લિક કરી જુઓ સમગ્ર માહિતી


View Pdf


 


તો બીજી તરફ  274 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 12,68,737 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.96 ટકા પર પહોંચ્યો છે.


કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા


સુરત: કાપોદ્રા પોલીસ મથકની હદમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડા પાડ્યા છે. કાપોદ્રા તાપી નદી પાસે આવેલા ખાડી ફળિયું ખાતે દરોડા પાડવામાં આવ્યા છે.  આ રેડમાં ૩૮ મોબાઈલ, ૨ કાર, ૧૧ ટુવ્હીલર, ૧ રીક્ષા સહીત ૨૨.૩૨ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. ૧ મહિલા સહીત ૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જુગારધામ ચલાવનાર, રમાડનાર સહીત ૧૮ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામનો સ્ટેટ મોનીટરીંગ સેલે પર્દાફાશ કરતા ચકચાર મચી છે. 


વલસાડમાં ખાળ કુવો સાફ કરવા ઉતરેલા 3 લોકો ડૂબ્યા


ઉમરગામના સોળસુંબામાં કરૂણ ઘટના સામે આવી છે. ખાળ કુવો ખાલી કરતા 3 લોકો ખાળ કૂવામાં પડ્યા હતા. ખાળ કૂવામાં ડુબી જતા 2 લોકોના મોત થયા છે જ્યાકે એકનો બચાવ થયો છે. એક બીજાને બચાવવા ખાળ કૂવામાં પડ્યા હતા. ચાલીનો ખાળ કુવો ઉભરાતા ચાલી માલિક અને ભાડુઆત ખાળ કુવો ખાલી કરી રહ્યા હતા. આ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ચાલી માલિક અને એક ભાડુઆતનું મોત થયું. ઘટના ને પગલે સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ છે. ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી છે. 


આ 6 દેશમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત


દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન દરરોજ સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે બમણી થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં કોરોનાના 3,095 નવા કેસ નોંધાયા છે.તો રાજ્યમાં  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાયરસના 381 નવા કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ 6 દેશમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RTPCR  ટેસ્ટ ફરિજયાત કરવામાં આવ્યો છે.