કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા માટે મહેસાણા શહેરમાં આજથી 11 દિવસ સુધી તમામ બજારો સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે શ્રમિકોને રોજી મળી રહે તે માટે મહેસાણા જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો બંધમાં નહીં જોડાય. તો સ્વૈચ્છિક લોકડાઉનમાં લોકોના ટોળા ન ઉમટે, લોકો માસ્ક અને સોશલ ડિસ્ટસિંગનું પાલન થાય તે માટે પાલિકાની પાંચ ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરશે. આજથી મહેસાણા શહેરની 25 હજાર દુકાનો 11 દિવસ સુધી સંપૂર્ણ બંધ રહેશે. સાથે જ આ બંધ દરમિયાન કર્મચારીઓને પુરો પગાર ચુકવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.


તો ખેરાલુમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા પાલિકાના સત્તાધીશોની એક બેઠક મળી હતી. જેમાં ખેરાલુ શહેરમાં આજથી છ દિવસ સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. આ બંધ દરમિયાન લોકોને સહકાર આપવા માટે અપીલ કરાઈ છે. સ્વૈચ્છિક લોકડાઉનના સમયગાળામાં મેડિકલ સ્ટોર્સ, દૂધ વિતરણ કેંદ્રો, સવારના છથી નવ અને સાંજના છથી રાત્રના નવ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તો વડનગરમાં પણ આજથી 25 એપ્રિલ સુધી ચાર દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે. 


રાજ્યમાં ગઈકાલે 4802 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,50,856 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 84 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 84126 પર પહોંચ્યો છે. જેમાંથી 361 લોકો વેન્ટિલેટર પર અને 83765 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 79.61 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત  કોર્પોરેશનમાં 25,  મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8,  જામનગર કોર્પોરેશન-8, વડોદરા-5,  બનાસકાંઠા-3, ભરુચ-3, જામનગર-4, પાટણ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ભાવનગર કોર્પોરેશન-3, , રાજકોટ-4, સાબરકાંઠા-3,ભાવનગર-3, ગાંધીનગર-2, સુરેન્દ્રનગર-3, આણંદ-3, મોરબી-3, મહીસાગર-2, દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 4821,  સુરત કોર્પોરેશનમાં 1849, મહેસાણા-495,  સુરત-491, વડોદરા કોર્પોરેશન-475, રાજકોટ કોર્પોરેશન- 397, જામનગર કોર્પોરેશન-307, વડોદરા-256, બનાસકાંઠા-227, ભરુચ-206, જામનગર-202, કચ્છ-200, પાટણ-185, ગાંધીનગર કોર્પોરેશન-171, ભાવનગર કોર્પોરેશન-149, તાપી-135, રાજકોટ-119, ખેડા-117, દાહોદ-115, સાબરકાઠા-112, ભાવનગર - 111, ગાંધીનગર-110, નર્મદા-110, અમરેલી-98, જુનાગઢ--95, જુનાગઢ કોર્પોરેશન-93, નવસારી-93,  પંચમહાલ-93, અમદાવાદ-85, વલસાડ-82, સુરેન્દ્રનગર-80,  આણંદ-72, મોરબી, મહીસાગર-62, ગીર સોમનાથ-61, અરવલ્લી-59, પોરબંદર-42, બોટાદ-31, ડાંગ-28, દેવભૂમિ દ્વારકા-28 અને છોટા ઉદેપુરમાં 21 લોકોના મૃત્યુ થયા હતા.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,93,538 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 16,22,998 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,07,16,536  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.