Jagnnath Jalyatra Live Update : ભગવાન જગન્નાથની આજે જળયાત્રા, 108ના કળશમાં જલ લાવી કરાશે પ્રભુનો અભિષેક

અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા પહેલા જલયાત્રા યોજાવાની પરંપરા છે. જે મુજબ આજે 108 કળશની જલયાત્રા યોજાશે

gujarati.abplive.com Last Updated: 04 Jun 2023 10:37 AM
અમદાવાદમાં ગરબાની રમઝટ સાથે નીકળી જગન્નાથજીની જળયાત્રા

અમદાવાદમાં પરંપરાત રીતે આ વર્ષે પણ  રથયાત્રા પૂર્વ  જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે રાસ ગરબા અને ભજન મંડળી પણ જોડાઇ છે લોકો પરંપરાગત પરિધાન સાથે સહ શ્રદ્ધા જળયાત્રામાં જોડાયા છે. 108 કળશની યાત્રાના જળથી ભગવાનો અભિષેક આરતી પૂજા થશે બાદ તેમને મોસાળ વળાવવામા આવશે.

Jagnnath Jalyatra Live Update :આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ છે

રથયાત્રાને લઈને અમદાવાદમાં ભારે ઉત્સાહનો માહોલ છે.  મોસાળમાં પણ ઉમંગ જોવા મળી રહ્વાયો છે.  આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ છે.   બહુ લાંબી પ્રતિક્ષા બાદ તેમનું યજમાનમાં નામ આવતા તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.


Jagnnath Jalyatra Live Update જળયાત્રાનું શું છે મહત્વ?

ભગવાનની  જલયાત્રા જગન્નાથપુરીમાં નીકળતી હોય થે, જે  પરંપરા મુજબ અમદાવાદમાં પણ આ જલયાત્રા નીકળતી હોય છે વાંચતે ગાજતે ભજન મંડળી રાસ મંડળી ની સાથે ભગવાન સાબરમતી સોમનાથ ભૂદરના આરે પહોંચશે  અને ત્યાં  ગંગા પૂજન થશે.વિધિવત રીતે યજમાનો દ્વારા સાબરમતી નદી જેને કશી આપી ગંગા કહેવાય છે અને એટલા જ માટે તમામ પવિત્ર નદીના જળનું આહવાન કરીને જલ ભરવામાં આવતું હોય છે,  અભિષેક પૂજન આરતી બાદ ભગવાન  પોતાના મામાના ઘરે થશે.

Jagnnath Jalyatra Live Update : 146મી જળયાત્રાની વિધિમાં ઉપસ્થિત રહેશે આ મુખ્ય અતિથિ

આજે અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાશે. ગંગા પૂજન બાદ જગન્નાથજીની ષોડસોપચારે પૂજા કરવામાં આવશે બાદ તેનો જલાભિષેક થશે, આ સમગ્ર વિધિમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી,  અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આજે  જળયાત્રા યોજાવવા જઇ રહી છે.  જે જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રારૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે.


...જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરે જઈ સાબરમતિ નદીમાંથી 108 કળશ ભરીને લાવવામાં આવશે જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ  હાજર રહેશે.તો ભગવાન આજથી 15 દિવસ માટે મોસાળમાં જશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.