અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ભાજપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં મોટી બહુમતીથી વિજય મેળવી ફરી સત્તા કબજે કરી છે. ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરી રાજ્યની જનતાનો આભાર માન્યો છે.




અમિત શાહે ટ્વિટ કરી કહ્યું, મહાનગરોની સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે શ્રી સીઆર પાટીલ, મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને શ્રી નીતિનભાઈ પટેલ અને તમામ ઉર્જાવાન કાર્યકરો ને ખૂબ ખૂબ અભિનંદન.



6 મહાનગર પાલિકામાં ભાજપની જીત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. નડ્ડાએ કહ્યુ કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કામ પર જનતાને અતૂટ વિશ્વાસ છે. તેમણે આ જીત માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાર્ટી અધ્યક્ષ પાટીલને પણ અભિનંદન આપ્યા હતા.