પંચમહાલ: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર પ્રથમવાર 2.9 કિલો સોનાનો ઢોળ ચઢાવેલા 8 કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મુખ્ય શિખર પરના કળશ અને ધ્વજા દંડ પર રૂપિયા 7.5 કરોડનો સોનાના ઢોળ ચઢાવાયો છે. 2 ફુટના 7 કળશ પર 1.40 કિ.ગ્રા સોનાનો ઢોળ ચઢાવી સુશોભીત કરાયા છે.


કાશી વિશ્વનાથ સાથે પાવાગઢ ડુંગર પર કોરીડોર બની રહ્યો છે. જેમાં રાજય સરકાર દ્વારા ડુંગર પર મંદિરના રીનોવેશન સાથે બે હજાર શ્રધ્ધાળુઓ એક સાથે ઉભા રહીને દર્શન કરી શકે તેવું પરિસર બનાવવામાં આવ્યુ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નવિન મંદિર સાથે ડુંગર પર દુધિયા તળાવનું પણ બ્યુફીકેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહાકાળી મંદિરનું નવીનીકરણ થયા બાદ મંદિરની ટોચ પર શિખર પર કળશ પ્રતિષ્ઠા કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. માતાજીના મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોના દાનમાંથી 5 મે 2022ના રોજ પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલ કળશોની પૂજા વિધી કરવામાં આવી હતી. 


13 કળશો માંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિલો ગ્રામનો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. જયારે મંદિરના અન્ય શિખરો પર 2 ફુટના 7 સોનાનો ઢોળ ચઢાવેલા કળશો સ્થાપિત કરવામાં આવ્યા હતા. 2 ફુટના એક કળશ પર 200 ગ્રામ લેખે 7 નાના કળશ પર  રૂા.7 કરોડના 1.4 કિલોગ્રામ સોનાનો ઢોળ ચઢાવીને પૂજા અર્ચના કરીને મંદિરના નાના શીખરો પર સ્થાપિત કરાતાં માતાજીનું મંદિર પર પ્રથમવાર સોના કળશથી સુશોભીત થયું હતું. પાવાગઢ માતાજીના મંદિર પર દાતાઓ તરફથી દાનથી મળેલા રૂ.14.50 કરોડના 2.900 કિ.ગ્રા સોનાનો ઉપયોગ કરીને નવીન બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ સ્થાપિત થતાં મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખર બધ્ધ બન્યું.


8 સોના ઢોળ ચઢાવેલા કળશની પ્રતિષ્ઠા શિખર પર કરવામાં આવી
પાવાગઢવાળી મહાકાળી માતાજીના મંદિર પર 8 સોના ઢોળ ચડાવેલા શિખર પર પ્રતિષ્ઠા કરવામાં અાવી છે. જેમાં મુખ્ય 6 ફુટના કળશ પર 1.50 કિલોગ્રામ અને અન્ય નાના 2 ફૂટના કળશ પર 200 ગ્રામ સોના ઢોળ ચઢાવીને મંદિરના શિખર પર સ્થાપિત કર્યા છે. જયારે બીજા 5 કળશને યજ્ઞશાળા પર  લગાવવામાં આવશે.