બનાસકાંઠા: દિયોદરમાં એક સપ્તાહ પૂર્વે યોજાયેલા અટલ ભુજલ કાર્યક્રમમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને માર મારવામાં આવ્યો હતો. આ થપ્પડકાંડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હવે ઘટનાના એક સપ્તાહ બાદ ધારાસભ્ય કેશાજી ચૌહાણે મૌન તોડ્યું છે. ખેડૂત આગેવાનને અરજણ ઠાકોર નામના શખ્સે થપ્પડ મારી હતી. આ વ્યક્તિએ કેશાજી ચૌહાણના ઈશારે થપ્પડ મારી હોવાનો આરોપ લાગ્યો હતો. 


ન્યાય માટે અમરાભાઈએ ખેડૂતો સાથે ગાંધીનગર તરફ કૂચ કરી છે. એવામાં હવે કેશાજી ચૌહાણે થપ્પડકાંડને દુઃખદ ગણાવી દિલગીરી વ્યક્ત કરી છે.  કેશાજી ચૌહાણના સમર્થનમાં  બનાસકાંઠાના ભાજપ સાંસદ પરબત પટેલ આગળ આવ્યા છે. પરબત પટેલે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, આ કોઈ જાતિ-જાતિ વચ્ચેનો ઝઘડો નથી. પરંતુ 2 વ્યક્તિનો ઝઘડો છે. 


ખેડૂતોના પાકને તબાહ કરી નાંખતા તીડને લઈ બનાસકાંઠાના ધરતીપુત્રો માટે સૌથી મોટા રાહતના સમાચાર


તીડનું આક્રમણ ખેડૂતો પરેશાન કરી મુકે છે અને ખેડૂતોનો તૈયાર થયેલા પાક પર ગણતરીના કલાકોમાં જ પાણી ફરી વળે છે. રાજસ્થાનના જેસલમેરમાં તીડના બચ્ચા દેખાવાના મામલે બનાસકાંઠા માટે રાહતના સમાચાર છે. તીડ નિયંત્રણ વિભાગે જિલ્લાના સરહદી વિસ્તારોમાં રૂટિન સર્વે કરતા હાલ કોઈ તીડ ન હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગે તીડ કંટ્રોલ કર્યા છે. બનાસકાંઠા વહીવટી તંત્ર રાજસ્થાન તીડ વિભાગના સંપર્કમાં છે. હાલ જિલ્લામાં તીડના અવશેષો નથી. ખેડૂતોના હિતમાં તીડ નિયંત્રણ વિભાગ દ્વારા 15 દિવસે સર્વે કરવામાં આવે છે.


તીડ શું છે


તીડ એક જાતના તીતીઘોડા છે.જે અનુકુળ પરિસ્થિતિમાં ટોળા બનાવીને સેંકડો  માઇલ સુધી એક ધારા ઉડીને દુરના પ્રદેશમાં આક્રમણ કરીને ખેતીવાળા પ્રદેશમાં ઉતરીને હજારો એકર પાકેને નકુશાન કરે છે. તાજા નીકળેલા લાલ તીડ ખૂબ જ ખાઉધરા હોય છે અને દૂર ઉડવાની ક્ષમતા ધરાવે છે.


તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો



  • તીડનું ટોળું આવતું હોવાની જાણ થાય તો તરત જ ગ્રામજનોને સાવધ કરો, ખેતરમાં ઢોલ, પતરના ડબ્બા કે થાળીઓ વગાડી મોટો અવાજ કરો.

  • તીડનું ટોળું રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા અથવા ફ્લેમથ્રોઅર સળગાવીને ભગાવો.

  • લીમડાની લીંબોળીની માંજનો ભુકો 500 ગ્રામ (5 ટકા અર્ક) અથવા લીમડાનું તેલ 40 મીલી + કપડાં ધોવાનો પાઉડર 10 ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર કરેશ કીટકનાશર 20 મીલી થી 40 મીલી 10 લીટર પાણીમાં ઉમેરી આ દ્રાવણનો છંટકાવ કરવાથી તીડ આવા છોડ ખાતા નથી.

  • તીડે જ્યાં ઈંડા મુક્યા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરીને ઇંડાનો નાશ કરવો. ઉપરાંત જે વિસ્તારમાં તીડે ઈંડા મૂક્યા હોય તે વિસ્તારની જમીન પર એક હેકટર દીઠ 25 કિલોગ્રામ જેટલી મેલાથીઓને 5 ટકા ભૂકીના પટ્ટા કરવા.

  • તીડન બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમા આગેકૂચ કરતા હોય ત્યારે અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા.

  • તીડના બચ્ચાના ટોળાને આગળ વધતાં અટકાવવા જેરી પ્રલોભકા (ઘઉં-ડાંગર ભૂસાની 100 કિલોગ્રામ)નીસાથે ફેનીટોથ્રીઓન (0.5 કિગ્રા) જંતુનાશક દવા + ગોળની સસી (5 કિલોગ્રામ) 0.4 ટકા ક્વાનાલફોસ 1.5 ટકા ભૂકીનો છંટકાવ કરવો.

  • તીડ જોવા મળે તો તરત જ અસર પામતાં ગામના સરપંચ, તલાટી કમ મંત્રી દ્વારા તીડનો અહેવાલ ગ્રામસેવક વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જીલ્લા ખેતીવાડી અધિકારીને ઈમેલ, ટેલીફોન, મોબાઇલ, વોટ્સએપ, એસએમએસ દ્વારા મોકલવો. જો આ શક્ય ન હોય તો ખાસ માણસ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પહોંચતો કરવો.