કિશન ભરવાડ હત્યા કેસ Live Update : ધંધુકામાં થયેલી હત્યા કેસમાં વધુુ એક આરોપીની ધરપકડ

ધંધુકામાં થયેલી હત્યાના પડઘા ગીરના કોડીનારમાં પડયા, કોડીનાર શહેર આજે સજ્જડ બંધ પાળ્યું. આરોપીઓને ફાંસીની સજા આપવાની લોકોએ કરી માંગ.

abp asmita Last Updated: 01 Feb 2022 03:08 PM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ ધંધૂકામાં માલધારી યુવકની હત્યાના સમગ્ર  ગુજરાતમાં પડઘા પડી રહ્યાં છે. હત્યાના વિરોધમાં ઠેર-ઠેર હિંદુ સંગઠનો દ્વારા બંધ અને રેલી  યોજવામાં આવી રહી છે.  કિશનની શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને...More

સોશ્યલ સાઇટ્સ પર પોલીસ રાખી રહી છે બાજ નજર

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસ અને રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર હુમલા મામલે કરી લોકોને અપીલ. કેટલાક અસામાજિક તત્વો હિન્દૂ-મુસ્લિમ કોમ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે સોશ્યલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરી શાન્તિભંગની પ્રયાસ કરે છે. Whatsapp. Instagram.. ફેસબુક.. ટ્વિટર.. અને સ્નેપચેટ જેવી સોશ્યલ સાઇટ્સ પર પોલીસ રાખી રહી છે બાજ નજર. કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા કોઈ વ્યક્તિ દ્રારા ભડકાઉ પોસ્ટ કરવામાં આવશે કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી. સોશ્યલ મીડિયા પર સાઈબર ક્રાઈમ સેલ રાખી રહ્યું છે...