અન્ય રાજ્ય અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો પરત ફરતાં કચ્છ કલેક્ટરે લીધો મોટો નિર્ણય, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 May 2020 12:12 PM (IST)
કચ્છમાં રેલ માર્ગે અથવા રસ્તા માર્ગે પરમિશન સાથે આવતા તમામ લોકોને ફરજીયાત ક્વોરન્ટાઇન કરવામાં આવશે.
કચ્છઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કામ-ધંધા બંધ થઈ જતાં લોકો મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરી રહ્યા છે. કચ્છ જિલ્લામાં પણ મોટી સંખ્યામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી લોકો પરત ફરી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લા કલેક્ટરે આ અંગે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. કચ્છમાં રેલ માર્ગે અથવા રસ્તા માર્ગે પરમિશન સાથે આવતા તમામ લોકોને ફરજીયાત ક્વોરન્ટાઇન કરવામાં આવશે. બહારથી જિલ્લામાં આવનારા લોકોએ ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઇન અને ત્યાર બાદ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. અન્ય રાજ્યો અને અન્ય જિલ્લાઓમાંથી કચ્છ તરફ મોટી સંખ્યામાં લોકો પ્રયાણ કરતા હોવાથી કચ્છના સ્થાનિકોની જીંદગી જોખમમાં ન મુકાય એ માટે કચ્છ કલેકટરે મહત્વ પૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.