અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ અચાનક વધી ગયું છે. આ સિસ્ટમની અસરથી આગામી 20 ઓકટોબર સુધી વરસાદી ઝાપટાંથી હળવોથી મધ્યમ વરસાદ તેમજ 25 ઓકટોબર સુધી રાજ્યમાં ગરમી-બફારાનું પ્રમાણ યથાવત રહેવાના અનુમાન છે. જોકે હાલ અમદાવાદનું લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી વધતાં લોકોએ દિવસ દરમિયાન ગરમીની સાથે અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો.

ગુજરાતમા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. વરસાદની આગાહીના પગલે ગુજરાતના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.

હવામાનની આગાહીના કારણે ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને 18 નવેમ્બર સુધી દરિયો ન ખેડવા પણ સુચના આપી દેવામાં આવી છે. માછીમારી કરવા ગયેલી બોટો પરત ફરી રહી છે. જોકે દરિયામાં હજુ કોઈ ખાસ અસર ન વર્તાઈ રહી હોય તેમ દરિયો શાંત જોવા મળે છે.

દેવમૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર, દ્વારકા બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જિલ્લામા વાતાવરણમા પલ્ટો આવ્યો હતો. વેરાવળ બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ મુકાયુ છે.