PM મોદીએ ગુજરાતને આપી કરોડોની ભેટ, ગાંધીનગર રેલવે સ્ટેશનનું કર્યું ઉદ્ધાટન

PM Modi Railway Inauguration: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં રેલવેની ઘણી પ્રમુખ પરિયોજનાનું ઉદ્ધાટન કરશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 Jul 2021 06:30 PM
એક્વેટિક ગેલરી એશિયાની ટોપ એક્વેરિયમમાંની એકઃ વડાપ્રધાન મોદી

પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે સાયન્સ સિટીમાં બનેલી એક્વેટિક ગેલેરી તો આનંદિત કરનારી છે. આ દેશ જ નહીં આખા એશિયાની ટોપની એક્વેરિયમ છે. એક જ સ્થળ પર સમુદ્રી જૈવ વિવિધતાના દર્શન કરી શકો છો. રોબોટિક્સ ગેલેરીમાં રોબોટ્સની સાથે વાતચીત આકર્ષણનું કેન્દ્ર છે તો સાથે આ રોબોટિક્સના ક્ષેત્રમાં કામ કરનારા આપણા યુવાઓને પ્રેરિત કરશે. બાળકોના મનમાં જીજ્ઞાસા જાગશે





‘દેશને ક્રોક્રિટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું નથી કરવું’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશનું લક્ષ્ય ફક્ત ક્રોર્કીટનું સ્ટ્રક્ચર ઉભું કરવાનું નથી. પરંતુ આજે દેશમાં એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઇ રહ્યું છે જેનુ પોતાનું કેરેક્ટર હોય. બાળકોના સ્વાભાવિક  વિકાસ માટે મનોરંજનની સાથે તેમને શીખવા અને તેમની ક્રિએટિવીટીને સ્પેસ મળવી જોઇએ. સાયન્સ સિટી એક એવો પ્રોજેક્ટને રી-ક્રિએશન અને રિ-ક્રિએટિવિટીને પરસ્પર જોડે છે.





ગાંધીનગર રેલવે સ્ટેશન નવા ભારતની ઓળખ





'વડનગર રેલવે સ્ટેશન સાથે મારી કેટલીય યાદો જોડાયેલી છે'


વડાપ્રધાન મોદીએ સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરીનું ઉદ્ધાટન કર્યું

વડાપ્રધાને કહ્યું- ગુજરાતનું ગૌરવ વધારનારી યોજનાઓ

વડાપ્રધાનની ગુજરાતને ભેટ

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશનનું કર્યું ઉદ્ધાટન

અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા

કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે,35 વર્ષ બાદ રેલવે સ્ટેશનની કાયાપલટ થઇ છે. બે નવી ટ્રેન આજે ચાલુ થઇ રહી છે. આજે ગુજરાત માટે ખૂબ આનંદનો દિવસ છે.

વડાપ્રધાન મોદીએ ગુજરાતને આપી અનેક ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલા રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું.

રેલ મત્રીની ગાંધીગરમાં બેઠક

રેલ મત્રી અશ્વિની વૈષ્ણવ ની ગાંધીનગર રેલ્વે સ્ટેશન ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક.


રેલ્વે મંત્રી અને રેલ્વે વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર.


ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના મોડલને દેશભરના રેલ્વે સ્ટેશનની કાયાકલ્પ માટે મોડલ બનાવવામાં આવશે.

બ્રેકગ્રાઉન્ડ

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સાંજે ચાર વાગ્યે વીડિયો કોંફ્રેસના માધ્યમથી ગુજરાતમાં રેલવેની ઘણી પ્રમુખ પરિયોજનાનું ઉદ્ધાટન કરશે. અને અન્ય પરિયોજનાને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે સાયન્સ સિટીમાં એક્વિટિક્સ અને રોબોટ્કિસ ગેલેરી, નેચર પાર્કનું પણ ઉદ્ધાટન કરશે.


રેલવેની આ પરિવારજનોમાં નવી રીતે પુનઃવિકસિત ગાંધીનગર રેલવે સ્ટેશન, અને વિદ્યુતીકૃત કરાયેલ મહેસાણા વેરઠા લાઈન અને નવ વિદ્યુતીકૃત કરવામાં આવેલ સુરેંદ્રનગર પિપાવાવ કંડનો પણ સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર રાજધાની-વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એમઈએમયુ સેવા ટ્રેનોને પણ લીલી ઝંડી આપીને રવાના કરશે. સાથે જ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 71 કરોડના ખર્ચે અપગ્રેડ થયેલ ગાંધીનગરના નવા રેલવે સ્ટેશનનું પણ ઉદ્ધાટન કરશે.


આ રેલવે સ્ટેશનમાં ટિકિટ બુકિંગ કાઉંટર, રેંપ, લિફ્ટ, પાર્કિંગની સુવિધા સિવાય દિવ્યાંગો માટે અનુકુળ સ્ટેશન બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સ્ટેશનમાં એક ફાઈવ સ્ટાર હોટલનું પણ ઉદ્ધાટન કરવામાં આવશે.


મહેસાણા-વેરઠા ગેજ મીટરગેજ ટ્રેક  બ્રોડગેજમાં ફેરવાયો છે. 293 કરોડના ખર્ચે 55 કિલોમીટરના મહેસાણા વેરઠાને બ્રોડગેજમાં ફેરવવામાં આવ્યો છે. જેમાં કુલ દસ સ્ટેશન વિસનગર, વડનગર, ખેરાલુ અને વેરઠા એમ ચાર નવા રેલવે સ્ટેશનની ઈમારત પણ બનાવવામાં આવી છે. આ સેક્શન પર એક પ્રમુખ સ્ટેશન વડનગર છે. જ્યાં વડનગર-મોઢેરા-પાટણ હેરિટેજ સર્કિટ હેઠળ વિકસિત કરાયા છે.


289 કરોડના ખર્ચે સુરેંદ્રનગર-પીપાવાવ સેક્શન સેક્શન તૈયાર કરવામાં આવ્યું છે. આ પરિયોજના પાલનપુર, અમદાવાદ અને દેશને અન્ય ભાગોને પીપાવાવ બંદરને કોઈપણ અડચણ વગર માલ પહોંચાવડામાં મદદ કરશે. આ સિવાય સાયન્સ સિટીમાં ત્યારે એક્વેટિક્સ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કનું પણ પીએમ મોદી ઉદ્ધાટન કરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.