સરકારી ઓફિસો ફરી શરૂ કરવાને લઈને ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, વર્રગ 1-2ના કર્મચારીઓએ ફરજિયાત ઓફિસ આવવું પડશે. આ ઉપરાંત અમદાવાદ કન્ટેઈનમેન્ટ ઝોન બહાર રહેતા કર્મચારીઓએ પણ ઓફિસ આવવું પડશે. જ્યારે જીલ્લાઓમાં કન્ટેઈનમેન્ટ ઝોન બહાર કચેરી હોય તો 100 ટકા સ્ટાફ રાખવા પડશે.
મહત્વની વાત એ છે કે, જો કચેરીના જવાબદાર અધિકારી ઈચ્છે તો શિફ્ટ પ્રમાણે કર્મચારી અધિકારીઓને બોલાવી શકે છે. જોકે કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં રહેતા કર્મચારીને બોલાવી શકાશે નહીં. વર્ગ 3 અને તેનાથી નિચેના કર્મચારીઓ 50% હાજરી રાખવી.
વધુમાં જણાવ્યું હતું કે, આવશ્યક સેવાઓ સિવાય કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવકી કચેરીઓ હાલ પૂરતી બંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોન બહારની અમદાવાદ અને ગાંધીનગર ખાતેની કચેરીઓમાં વર્ગ 1 અને 2ના તમામ અધિકારીઓ અને વર્ગ 3 અને 4ના 50 ટકા કર્મચારીઓ ને ઓફીસ બોલાવી શકાશે.