અહી ભગવાન સોમનાથ સાથે ગૌલોકધામ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ નીજધામ ગયા તે મંદીર છે તો તાજેતરમાં ભવ્ય રામ મંદીરનું પણ અહીં નિર્માણ થયું છે. પરંતુ અહી માતા પાર્વતીજીનું મંદીર ભવ્યતા પુર્ણ ન હતું ત્યારે સોમનાથ ટ્રસ્ટે તાજેતરમાં સોમનાથ મંદીર પરીસરમાં જ પાર્વતી માતાજીનું મંદીર બનાવવાનો નિર્ણય લીધો છે.
સોમનાથ મંદીર નજીક પૌરાણીક પાર્વતી માતાજીની જે જગ્યા છે તેને જે તે સ્થિતિમાં રાખી મંદીર સામે યજ્ઞશાળાની બાજુમાં(જ્યાંથી ભાવીકો માટે બહાર જવાનો) દરવાજો છે ત્યાં રૂપિયા 21 કરોડનાં ખર્ચથી સફેદ માર્બલમાં ભવ્ય માતા પાર્વતીજીનું મંદીર નિર્માણ કરવા ટ્રસ્ટે નિર્ણય કર્યો છે.