સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા થઈ શકે છે. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં આગામી દિવસોમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની તપાસ કરવામાં આવશે. શનિ-રવિવારે પણ ફાઈલોની તપાસની કામગીરી ચાલી હતી. જમીનને લગતી ફાઈલોમાં ગેરરીતિ સામે આવે તેવી શક્યતા છે. સોલાર પ્લાંટની મંજૂરી,જમીન સંપાદનની ફાઈલોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. લીઝ પર આપેલી જમીન ફાળવણીની ફાઈલો ઈડી સમક્ષ રજૂ કરાશે. સોલાર પ્લાંટ માટે કેટલી ફાઈલો NA થઈ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. કયા હેતુ ફેર માટે જમીનની મંજૂરી આપવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવશે. 

Continues below advertisement

ચાર સામે એસીબીએ નોંધી ફરિયાદ

આ કૌભાંડમાં EDની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના અંગત સચિવ (PA) જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુર ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અને લાંચના આરોપ હેઠળ FIR નોંધી છે. આ કાર્યવાહી બાદ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કલેક્ટર રાજેન્દ્ર પટેલને પદભ્રષ્ટ કરીને તેમની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગને સોંપી દીધી છે અને જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ હાલ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. આ કૌભાંડમાં દલાલોના નામ અને કમિશનની વિગતો લખેલા કાગળો પણ મળી આવ્યા છે.

Continues below advertisement

ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી છે અને તેમા કલેક્ટર રાજેન્દ્ર પટેલ,ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા પણ સામેલ હતા. આટલુ જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે. 23 ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ચંદ્રસિંહ મોરીના રહેણાંક પરિસરમાંથી 67.50 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છૂપાવેલી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બરે નોંધાયેલા નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ મારફતે અરજદારો પાસેથી એકઠી કરેલી લાંચની રકમ છે.