ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે કાળઝાળ ગરમી પડવાની છે.  શિયાળાની વિદાય સાથે જ હવે કાળઝાળ ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે. રાજ્યમાં પાચ દિવસ બાદ ગરમી વધવાની હવમાન વિભાગે આગાહી કરી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. 


અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદને કારણે આજે રાજ્યના વાતાવરણમાં પલટો  અનુભવાયો છે.   હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 14 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરવામાં આવી છે.  


ગરમી વધવાની સાથે જ લોકો તાપથી બચવા માટે એસીની ખરીદી કરી રહ્યા છે. શિયાળા અને ચોમાસામાં કરતા હાલમાં ત્રણ ગણા એસીનું વેચાણ વધી ગયું છે.