ગાંધીનગર: રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સજ્જ બન્યું છે. આગામી 30 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવારની ઉજવણી થવાની છે. ત્યારે નિગમ દ્વારા આ વખતે 500થી વધારે વધારાની બસોનો સંચાલન કરશે. તહેવારોના સમયે લોકો પોતાના વતન તરફ જવા નિકળતા હોય છે. આ દરમિયાન એસ.ટી બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેને પહોચી વળવા માટે એસટી વિભાગ દ્વારા દર વર્ષે વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે 500 બસોની મદદથી રાજ્યભરમાં અંદાજે 2000 જેટલી વધારાની ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. 


મોટા શહેરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ધસારો વધારે જોવા મળતો હોય છે. ચાલુ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ છે. ત્યારે લોકો વતન તરફ પણ નાના - મોટા ફરવાના અથવા તો યાત્રાધામ જવા માટે એસ. ટી બસનો ઉપયોગ કરતા હોય છે.
 
રક્ષાબંધનના તહેવાર દરમિયાન વધારાની બસોના સંચાલન થકી એસટી નિગમ અંદાજે 80 લાખથી વધુનો લક્ષ્યાંક રાખી રહ્યું છે.  ગયા વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન 400 જેટલી વધારાની બસ થકી 1500 જેટલી ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેનાથી નિગમને 60 લાખ જેટલી વધારાની આવક થઈ હતી. 


રક્ષાબંધનના તહેવાર પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ વખતે રક્ષાબંધન પર પણ ભદ્રા હશે, તો  રાખડી બાંધવાનું ક્યારે શુભ રહેશે?


દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો શુભ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 30 અને 31 ઓગસ્ટ 2023 બંનેના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન પર્વ પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. રાખડી બાંધવી એ માત્ર એક રિવાજ નથી પણ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે.


એવું માનવામાં આવે છે કે, આ શુભ દિવસે જે બહેન પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે, તેમને અકાળ મૃત્યુ નથી આવતું તેમજ દિર્ઘાયુ અને સ્વસ્થ જીવનના આશિષ મળે છે. બહેનના દીલથી મળેલા આશિષથી ભાઇ  જીવનમાં ઘણી પ્રગતિ પણ કરે . આ વખતે રક્ષાબંધન પર પણ ભદ્રા હશે, આવી સ્થિતિમાં બંને દિવસે રાખડી બાંધવાનું ક્યારે શુભ રહેશે, ચાલો જાણીએ શુભ મૂહૂર્ત અને વિધિ


શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 30મી ઓગસ્ટના રોજ સવારે 10.58 વાગ્યાથી 31મી ઓગસ્ટના રોજ સવારે 07.05 વાગ્યા સુધી રહેશે. જો કે આ સાથે 30 ઓગસ્ટ, 2023 ના રોજ ભદ્રા પણ છે. જે  સવારે 10.58 થી શરૂ થઈ રહી છે અને તે રાત્રે 09.01 સુધી છે. આવી સ્થિતિમાં, ભદ્રાની સમાપ્તિ પછી રાખડી બાંધવી શુભ રહેશે. આ દિવસે ભદ્રા પૃથ્વીમાં રહેશે, જે અશુભ માનવામાં આવે છે.