જૂનાગઢ: જિલ્લામાં અકસ્માતની એક ગોજારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં માતા પુત્રીએ જીવ ગુમાવ્યો છે. કેશોદના શેરગઢ નજીક અકસ્માતની ઘટના બની છે. આ અંગે વિગતે વાત કરીએ તો, સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. 




આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે માતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે, કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. માતા પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.



સુરત: સિવિલ હોસ્પિટલ બાદ સૌથી વધારે દર્દીઓ સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે. 70 લાખ કરતાં વધુ સુરતની જનસંખ્યામાં મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે પરંતુ અહીં જાણે તેમની મજાક ઉડાવવામાં આવતી હોય તેવી સ્થિતી ઉભી થઈ છે. ઈમરજન્સી સારવાર લેવા આવતા દર્દીઓ માટે સીટી સ્કેનની વ્યવસ્થા યોગ્ય ન હોય તો એના માટે શું કહેવું તે સમજાતું નથી.


પુણા ગામ સીતાનગર ચોકડી પાસે આવેલી રાધા શ્યામ સોસાયટીમાં ચોથા માળેથી નીચે બાળક પટકાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બાળકને ગંભીર ઈજા હોવાને કારણે ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા બાદ તેનો સીટી સ્કેન કરાવવું જરૂરી બન્યું હતું. પરંતુ જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સીટી સ્કેન મશીન જ બંધ છે. આ બાબતે ડોક્ટરોને પૂછતા તેમને કહ્યું કે એકાદ કલાકમાં ચાલુ થઈ જશે પરંતુ મોડી રાત સુધી પણ સિટી સ્કેન મશીન શરૂ થયું ન હતું.




રાધેશ્યામ સોસાયટીના પ્રમુખ મંગળ કવાડે જણાવ્યું કે, અઢી વર્ષનો બાળક અને તેના માતા-પિતા અમારા ત્યાં ભાડેથી રહે છે. ચોથા માળે રહેતા પરિવારનું બાળક અચાનક જ નીચે પડી ગયું હતું જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. પહેલા અમે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ડોક્ટરે કીધું કે એને આઈસીયુમાં રાખવો પડશે માટે તમે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. ત્યારબાદ અમે  આ હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ હતી આવીને જોયું તો વેલટીનેટર પર રાખવો પડે તેમ હોવાને કારણે વોલટીનેટરની પણ ઝડપથી સુવિધા કરી આપવામાં આવી ન હતી એટલું જ નહીં પરંતુ તેને કેટલી ગંભીર ઇજા થઈ છે તેના માટે સીટી સ્કેન કરાવો ફરજિયાત હતું પરંતુ ડોક્ટરો તે કરાવી શક્યા ન હતા. કારણ કે તે બંધ સ્થિતિમાં જોવા મળ્યું હતું.