Mahashivratri: મહાશિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી

Mahashivratri: આજે પવિત્ર મહાશિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે. સામાન્ય લોકોની લઈને નેતા અને ઉદ્યોગપતિઓ દાદાના દર્શને આવી રહ્યા છે.

Continues below advertisement

Mahashivratri: આજે પવિત્ર મહાશિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે. સામાન્ય લોકોની લઈને નેતા અને ઉદ્યોગપતિઓ દાદાના દર્શને આવી રહ્યા છે. સવારથી જ મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દાદાના દર્શને આવ્યા હતા, તો બપોર  રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. શિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના ખાસ દર્શન અને પૂજન અર્ચન માટે મુકેશ અંબાણી પહોંચ્યા છે. તેમની સાથે તેમનો પુત્ર આકાશ પણ દાદાના દર્શને આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ કોઈ પહેલીવાર નથી જ્યારે અંબાણી પરિવારના સભ્યો સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હોય. આ પહેલા પણ સમયે સમયે અંબાણી પરિવારના સભ્યો દાદાના દર્શને આવતા રહે છે.

Continues below advertisement

મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શને પહોંચેલા વિજય રુપાણીનું મોટું નિવેદન

 મહાશિવરાત્રીના પાવન પર્વે દીવસે ભાવિકભક્તોની ભીડ શિવાલયોમાં ઉમટી છે.  હર-હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 સીટ જીતશે તેવું નિવેદન પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું છે.

દેવાધિદેવના વિશેષ પૂજનનો દિવસ એટલે મહા શિવરાત્રીનું પર્વ, આજના દિવસે ભાવિક ભક્તજનો વહેલી સવારથી ગીર સોમનાથ ખાતે આવેલા સ્વ્યંભૂ મહાદેવ સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડ્યા હતા. સોમનાથ ઉપરાંત પણ રાજ્યભરના શિવાલયોમાં શિવરાત્રીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથના માર્ગો જય સોમનાથના નાદથી ગુંજી ઊઠયા, એટલું જ નહીં સોમનાથ આવતા વૃદ્ધો અને દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો અને દિવ્યાંગો સરળતાથી આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ દાદાના દર્શન કરવા માટે પડ્યા હતા સાથે જ નેતાઓ પણ આજે મહાશિવરાત્રીના દિવસે સોમનાથ દર્શનનો લાભ લીધો હતો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શન અને પૂજા અર્ચના કરી હતી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ દાદાના દર્શન કર્યા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોમનાથ દાદાની મારા પર અવિરત કૃપા છે અને મેં પ્રાર્થના કરી છે કે આવનારી લોકસભાની ચૂંટણીના 400 દિવસ બાકી છે, અને ભાજપ ફરી લોકસભાની ચૂંટણીમાં 400 સીટ જીતીને ભવ્ય વિજય થાય તેવી મેં સોમનાથ પ્રાર્થના કરી છે.

તો બીજી બાજુ મહાશિવરાત્રીના પાવન તહેવારના લઈ સોમનાથ મંદિર ખાતે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમરતા હોય છે અને મંદિરમાં ભારે હોય છે જેમને લઈ ગીર સોમનાથ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મંદિરમાં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. 24 કલાક 300 જેટલા સુરક્ષા કર્મીઓ મંદિર પરિસર તેમજ બહારથી આવતા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે અને ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Continues below advertisement
Sponsored Links by Taboola