Netrotsav ritual Jagannath 2023 :આજે ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ યોજાશે. દર વર્ષે યાત્રા પહેલા આ વિધિ અચૂક કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિ એટલે શું જાણીએ..આજે ભગવાન જગન્નાથજી મોસાળથી પરત ફરશે તેમના મંદિરમાં પ્રવેશ પહેલા નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આ વિધિનું શું છે મહત્વન અને નેત્રોત્સવ વિધિ એટલે શું જાણીએ


નેત્રોત્સવ વિધિ એટલે શું?


રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ મોસાળમાં જાય, આ પંદર દિવસમાં તે મામાના ઘરે મીઠાઇ અને જાંબુ વધુ આરોગે છે. જેના કારણે તેના આંખોમાં ચેપ લાગી જાય છે એટલે કે સાદી ભાષ।માં કહીએ તો તેમની આંખ આવી જાય છે. આ દરમિયાન તે ફરી  પરત નિજ મંદિરે પરત ફરે છે. જો કે તેમની આંખમાં ચેપ હોવાથી સોજો હોવાથી આરામ મળે માટે તેમના આંખ પર પાટા બાંઘી દેવામાં આવે છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ સમગ્ર વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.




પાટા ક્યારે ખોલશે


નેત્રોત્સવ બાદ ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે  ખોલવામાં આવે છે.ત્યારબાદ  પછી  ધ્વજા રોહણની વિધિ  અને મંગળા આરતી થશે. ભગવાન માટે જુદા જુદા પકવાન બને છે.  ભગવાનની વિશેષ પૂજા થાય છે. બાદ ભગવાન નગરચર્યા માટે નીકળે છે. જેમાં સાધુ સંતો સાથે મોટી સંખ્યામાં ભાવિકગણ જોડાઇ છે અને વાજતે ગાજતે ભગવાની યાત્રા યોજાઇ છે.  


આજે ભગવાન જગન્નાથજી સરસપુરથી મોસાળથી પરત ફરશે, આ સમયે પરંપરાગત રીતે આજે તેમની નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહેશે,અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146માં યાત્રા યોજાઇ રહી છે. જેના માટે પ્રશાસને લગભગ તમામ તૈયારીઓ કરી લીધી છે. આજે ભગવાન જગન્નાથજી સરસપુર મોસાળમાંથી પરત ફરશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને બાદ ભગવાની પરંપરાગત રીતે નેત્રોત્સવ વિધિ યોજાશે જેમાં ભાજપ  પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ.  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો  ઉપસ્થિત રહેશે.




146મી રથયાત્રાને લઈને ગઇકાલે   ગ્રાંડ રિહર્સલ યોજાયું હતું.શનિવારે વરસતા વરસાદ વચ્ચે 15 હજાર પોલીસ અધિકારી કર્મચારીઓએ  મેગા રિહર્સલ કર્યું હતું. રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદની આ 146મી રથયાત્રાને લઇને પ્રશાસન સજ્જ છે તો શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પહેલા જયારે ભગવાન મોસાળ ગયા ત્યારે ભગવાન જગન્નાથજીની 108 કળશની જળયાત્રા યોજાઇ હતી. ભગવાન જગન્નાથનજીની જળયાત્રાથી જગન્નાથજીની યાત્રાની વિધિનો પ્રારંભ જળયાત્રાથી થયા છે. ઉલ્લેખનિય છે કે, 4 જૂને ભગવાન જગન્નાથજીની જળયાત્રા રાસ ગરબા અને ભજન મંડળી સાથે વાજતે ગાજતે નીકળી હતી.