Biperjoy cyclone:ગુજરાત નજીક અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડાને લઇને  લઈને હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. બિપરજોય તોફાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસમાં આ દિશામાં આગળ વધવાની ધારણા છે. બિપરજોય હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી લગભગ 850 કિમી દૂર છે.


અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને કારણે હવામાન વિભાગે ગુજરાતના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે. તમામ તાલુકા સ્તરના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો પર ખતરાની નિશાની લગાવવામાં આવી છે.  રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર મૂકવામાં આવી છે.


ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકામાં દરિયામાં ઉછળતા મોજા જોવા મળી રહ્યા છે. વલસાડના તિથલ બીચ, સુરતના ડુમસ, નવસારીમાં  પર પ્રવાસી માટે  પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.






વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર વાવાઝોડું  હાલ પોરબંદરથી 880 કિમીના અંતરે છે. તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તે 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતની નજીક આવી શકે છે. જેના કારણે વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતના દરિયા કિનારે આવેલા 42 અને વલસાડના 28 ગામો પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદરમાં દરિયામાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ભાવનગર ઉપરાંત દરિયામાં જોરદાર કરંટ છે. અમરેલી જિલ્લામાં પણ શુક્રવારે પણ 2 નંબરનું સિગ્નલ ચાલુ રહ્યું હતું. દમણ, જામનગરમાં 2 નંબરનું સિગ્નલ અકબંધ રાખવામાં આવ્યું છે.


ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈ CM ભૂપેંદ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક


ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે-ધીમે ઉત્તર તરફ  આગળ વધી રહ્યું છે.  ગુજરાતમાં અગામી 11 અને 12 જૂન દરમિયાન બિપોરજોય વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે. રાજ્ય સરકારે કુદરતી આપતીમાં કોઇ પણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓના જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને આપત્તિ વ્યવસ્થાપન-ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાને લઈ સમીક્ષા કરી હતી. વિડિયો કોન્ફરન્સ યોજી પૂરતી સતર્કતા અને તકેદારી રાખવા મુખ્યમંત્રીએ કલેક્ટરોને  માર્ગદર્શન આપ્યું હતું.  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.  


દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર


ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી. અરબ સાગરમાં સર્જાયેલું અત્યંત શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ધીમે-ધીમે ઉત્તર તરફ  આગળ વધી રહ્યું છે.  હવામાન વિભાગના મતે  વાવાઝોડું ફંટાઇ શકે છે.  આગામી 3 દિવસમાં ઉત્તર -ઉત્તર - પશ્ચિમ દિશામાં આગળ વધશે ચક્રવાતી તોફાન.  માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.  ગુજરાતના દરિયામાં તીવ્ર કરંટ પણ જોવા મળી રહ્યો છે. દરિયામાં 10થી 12 ફુટ જેટલી ઉંચી લહેરો ઉછળી રહી છે અને વહીવટી તંત્રે લોકોને દરિયાની નજીક ન જવા ચેતવણી આપી છે. 


બીપરજોય  વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડનો સુપ્રસિદ્ધ તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.