PM Modi Gujarat Visit: આજે મોઢેરાની દેશભરમાં ચર્ચા છે: PM મોદી

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Oct 2022 05:44 PM
આજે મોઢેરાની દેશભરમાં ચર્ચા છે: PM મોદી

પીએમ મોદીએ આજે કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત મોઢેરા સોલાર પાર્વડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. આજે મોઢેરાના લોકો વીજળી પેદા કરતા થયા છે અને તેમાથી કમાણી કરતા પણ થયા છે.

દેશનું પ્રથમ સૌરઊર્જા આધારિત ગામ મોઢેરા આજે રાષ્ટ્રને અર્પણ થશે

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત

પીએમ નરેન્દ્ર મોદી એક સપ્તાહમાં ઉત્તર ગુજરાતમાં બીજો રોડ શો કરશે

  • મહેસાણાના મોઢેરામાં આજે પીએમ મોદીનો રોડ શો 

  • થોડા દિવસ પહેલા અંબાજીમાં પીએમ મોદીએ કર્યો હતો રોડ શો 

  • મોઢેશ્વરી માતાના મંદિરથી સુર્યમંદિર સુધી યોજાશે રોડ શો 

  • અંદાજિત 3 કિમિનો યોજાશે રોડ શો 

  • રોડ શો દરમિયાન વિવિધ સમાજના લોકો પીએમનું અભિવાદન કરશે

PM મોદીએ કરેલું ટ્વિટ

સૂર્યમંદિરમાં પીએમ મોદી લાઈટિંગ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત કરાવશે

મહેસાણાના મોઢેરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જનસભા સંબોધશે અને બે મંદિરની મુલાકાત લેશે. મોઢેશ્વરી મંદિરમાં સાંજની આરતીમાં ભાગ લેશે. ઉપરાંત મોઢેરાના સૂર્યમંદિરમાં દર્શન કરશે. સૂર્યમંદિરમાં પીએમ મોદી આજથી લાઈટિંગ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત કરાવશે.

પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે.  અમદાવાદ  એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.

પીએમ મોદી ગુજરાત પ્રવાસે

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. મોઢેરાને ભારતના સૌપ્રથમ સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે જાહેર કરશે.


પીએમ મોદીનું 9 મી ઓક્ટોબરનું શિડ્યૂલ



  • સાંજે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન.

  • તેઓ સાંજે 5:30 કલાકે મહેસાણાના દેલવાડામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

  • સાંજે 6:45 કલાકે મોઢેરા માતાના મંદિરે પહોંચશે.

  • સાંજે 7:30 કલાકે મોઢેરા સૂર્ય મંદિર જશે.

  • રાત્રે 9 વાગે અમદાવાદ પરત ફરશે.

  • રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.


10 ઓક્ટોબરે આવું છે પીએમ મોદીનું શિડ્યૂલ



  • 11.00 કલાકે ભરૂચના આમોદમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોન્ચિં

  • 3.15 કલાકે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદઘાટ્ન

  • 5.30 કલાકે જામનગરમાં પ્રોજેક્ટ્સનું લોકાર્પણ શિલાન્યાસ


11મી ઓક્ટબરનો પીએમનો શું છે કાર્યક્રમ



  • 2.15 કલાકે અમદાવાદ સિવિલના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

  • સાંજે 5 કલાકે મધ્યપ્રદેશ જવા રવાના થશે

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.