PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે.
Advertisement
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 09 Oct 2022 05:44 PM
પીએમ મોદીએ આજે કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે. આ ઉપરાંત મોઢેરા સોલાર પાર્વડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશે. આજે મોઢેરાના લોકો વીજળી પેદા કરતા થયા છે અને તેમાથી કમાણી કરતા પણ થયા છે.
સૂર્યમંદિરમાં પીએમ મોદી લાઈટિંગ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત કરાવશે
મહેસાણાના મોઢેરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જનસભા સંબોધશે અને બે મંદિરની મુલાકાત લેશે. મોઢેશ્વરી મંદિરમાં સાંજની આરતીમાં ભાગ લેશે. ઉપરાંત મોઢેરાના સૂર્યમંદિરમાં દર્શન કરશે. સૂર્યમંદિરમાં પીએમ મોદી આજથી લાઈટિંગ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત કરાવશે.
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. મોઢેરાને ભારતના સૌપ્રથમ સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે જાહેર કરશે.
પીએમ મોદીનું 9 મી ઓક્ટોબરનું શિડ્યૂલ
સાંજે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન.
તેઓ સાંજે 5:30 કલાકે મહેસાણાના દેલવાડામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
સાંજે 6:45 કલાકે મોઢેરા માતાના મંદિરે પહોંચશે.
સાંજે 7:30 કલાકે મોઢેરા સૂર્ય મંદિર જશે.
રાત્રે 9 વાગે અમદાવાદ પરત ફરશે.
રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
10 ઓક્ટોબરે આવું છે પીએમ મોદીનું શિડ્યૂલ
11.00 કલાકે ભરૂચના આમોદમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોન્ચિં