BHUJ : વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે તેમણે અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો અને સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આ સાથે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગના નવા બિલ્ડીંગનું પણ લોકાર્પણ કર્યું. પીએમ મોદી આવતીકાલે 28 ઓગસ્ટે સવારે ભુજ પહોંચશે અને ત્યાં વિવિધ વિકાસકર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ મોદીના ભુજ પ્રવાસને લઈને કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 


ભુજમાં થ્રી લેયર સુરક્ષા 
વડાપ્રધાનના ભુજ પ્રવાસને લઈ થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી  છે. PMની સુરક્ષાને લઈ પશ્ચિમ કચ્છના SP સાથે abp અસ્મિતાની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે સરહદી જિલ્લો હોવાથી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ, SRP, ચેતક કમાન્ડો પણ સુરક્ષામાં તેહનાત કરવામાં આવ્યાં છે. 


ડ્રોન દ્વારા રોડ શો અને સ્મૃતિ વનના કાર્યક્રમ ઉપર  બાઝ નજર રાખવામાં આવશે. ભુજમાં PM રહેશે  ત્યાં સુધી દરિયામાં પણ કોસ્ટગાર્ડનું સતત  પેટ્રોલિંગ રહેશે. સુરક્ષા માટે કરાશે ઉપયોગ બાઈનોક્યુલર અને નાઈટ વિઝન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. PMની સુરક્ષામાં પોલીસનું અશ્વદળ પણ તહેનાત રહેશે અને આ સાથે 5 હજાર પોલીસ જવાનો સુરક્ષામાં ખડેપગે રહેશે. 




ભુજમાં પીએમ મોદીનો કાર્યક્રમ 
પીએમ મોદી ભુજમાં સવારે 10 કલાકે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સવારે 11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને સંબોધન કરશે. 


વડાપ્રધાન ભુજ જિલ્લામાં મેમોરિયલ વાન મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે. તે લગભગ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જે 2001ના ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લગભગ 13,000 લોકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક ભૂકંપ દરમિયાન જીવ ગુમાવનારા લોકોના નામ ધરાવે છે.


વડાપ્રધાન ભુજમાં આશરે રૂ. 4400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સરદાર સરોવર પ્રોજેક્ટની કચ્છ શાખા નહેરનું ઉદ્ઘાટન કરશે. આ કેનાલ કચ્છ જિલ્લાના તમામ 948 ગામો અને દસ શહેરોને સિંચાઈની સુવિધા અને પીવાનું પાણી પૂરું પાડવામાં મદદ કરશે.


વડાપ્રધાન સરહદ ડેરીના નવા ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટ, પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીધામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર, અંજારમાં વીર બાલ સ્મારક, નખ્તરાના 2 સબસ્ટેશન વગેરે સહિત અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.


વડાપ્રધાન ભુજ-ભીમાસર રોડ સહિત રૂ. 1500 કરોડથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.