PM મોદીએ કહ્યુ- 'સદીઓ બાદ પાવાગઢ મંદિર પર શિખર ધ્વજ ફરક્યો'
માતા હીરાબાના આશીર્વાદ લઇને વડાપ્રધાન મોદી પાવાગઢ પહોંચ્યા હતા. અહી તેઓ મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કરશે
gujarati.abplive.com Last Updated: 18 Jun 2022 11:44 AM
બ્રેકગ્રાઉન્ડ
માતા હીરાબાના આશીર્વાદ લઇને વડાપ્રધાન મોદી પાવાગઢ પહોંચ્યા હતા. અહી તેઓ મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કરશે 137 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યો કરવામા આવ્યા છે. પરિસરના પ્રથમ અને...More
માતા હીરાબાના આશીર્વાદ લઇને વડાપ્રધાન મોદી પાવાગઢ પહોંચ્યા હતા. અહી તેઓ મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કરશે 137 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યો કરવામા આવ્યા છે. પરિસરના પ્રથમ અને બીજા માળે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરાયું છે. જીર્ણોદ્વારનું કાર્ય 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
24 કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજનાનું સાક્ષી છે પાવાગઢઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતના તિર્થોમાં આજે શાંતિ, સુવિધા અને સમુદ્ધિ છે. ગુજરાતના રક્ષા કવચ તરીકે કામ કરતું એક શક્તિ ચક્ર છે. બનાસકાંઠામાં મા અંબાજી, પાવાગઢમાં મા મહાકાળી, ચોટીલામાં મા ચામુંડા, ભાવનગર પાસે ખોડિયાર માતાજી, મહેસાણા પાસે બહુચર માતાજી, ઉંઝામાં ઉમિયાધામ છે. પંચમહાલ મહાન ગાયકોની ધરતી છે. પાવાગઢ 24 કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજનાનું સાક્ષી છે