Somnath Amrut Mahotsav: સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો છે. 90 મીટર ઊંચી ક્રેઈનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાયા બાદ મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર અભિષેક કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ શિવલિંગને જળ અર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં આયોજિત "અમૃત મહોત્સવ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મંદિરના ભવ્ય શિખર પર દેશભરના 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. આ કુંભાભિષેક માટે એક વિશેષ કળશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમારોહ દરમિયાન 11 તીર્થસ્થળોમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળથી મંદિરના 90-મીટર ઊંચા શિખર પર અભિષેક કરવામાં આવ્યો હતો.
સોમનાથના શિખર પર 11 તીર્થના જળથી કુંભાભિષેક કરાયો હતો. સોમનાથ મંદિરના શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા છે. સોમનાથમાં સૂર્યકિરણની ટીમનો એર શૉ જોવા મળ્યો હતો. સૂર્યકિરણની ટીમના આકાશમાં અનોખા કરતબ જોવા મળ્યા હતા.
રોડ શો યોજાયો
સોમનાથ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં હાજરી આપતા પહેલા પીએમ મોદીએ એક રોડ શોમાં ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ ભવ્ય રોડ શોમાં વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન સ્વીકારતા જોવા મળ્યા હતા. હેલિપેડથી સોમનાથ મંદિર સુધી વિશાળ રોડ શો યોજાયો હતો, જેમાં હજારો લોકો રસ્તાની બન્ને બાજુ ઉભા રહી વડાપ્રધાનનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. સમગ્ર માર્ગ દેશભક્તિના નારા અને ધાર્મિક ઉલ્લાસથી ગૂંજી ઉઠ્યો હતો. રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
