PM નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલનમાં 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેવા પહોંચ્યા છે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત છે.

gujarati.abplive.com Last Updated: 20 Apr 2022 04:47 PM

બ્રેકગ્રાઉન્ડ

પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેવા પહોંચ્યા છે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1259 કરોડના કામોનુ લોકાર્પણ...More

રેલવે પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ દાહોદમાં આવેલા રેલવે પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવનું ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાનો ખર્ચ લગભગ રૂપિયા 20,000 કરોડ છે. વરાળ એન્જિન લોકોમોટીવની સમયાંતરે જાળવણી કરવા માટે 1926માં દાહોદ વર્કશોપની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેને ઇલેક્ટ્રિક લોકોમોટીવ વિનિર્માણ એકમમાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં માળખાકીય સુવિધાઓને લગતા સુધારાઓ કરવામાં આવશે.