Gujarat Rain Forecast: રાજ્યમાં હજુ આજે પણ માવઠાનો માર રહેશે યથાવ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ 3 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. . જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે.  કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. મધ્ય ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે , સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી, વડોદરા,નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજરાતના 20 જિલ્લા માટે રાહતના સમાચાર છે. અહીં  20 જિલ્લામાં વરસાદની શક્યતા નહીંવત છે.

Continues below advertisement

માવઠાની આગાહી વચ્ચે ક્યાં વરસ્યો વરસાદ

સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 0.79 ઈંચ વરસાદ વરસ્યો તો ઉમરગામમાં 0.71 ઈંચ વરસાદ વરસ્યો. તલોદમાં 0.51 ઈંચ,ભાવનગરના મહુવામાં 0.51 ઈંચ, રાજુલામાં 0.43 ઈંચ વરસાદ વરસ્યો. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં પારડીમાં 0.28 ઈંચ અને ધોલેરા, વલસાડમાં 0.24 ઈંચ વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી શરૂ  વરસાદ થયો છે. સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં  વરસાદ શરૂ થયો  છે. અઠવા, પાર્લે પોઈન્ટ, વેડ રોડ, કતારગામ,પાલ, અડાજણ, વેસુ, પીપલોધ, ઉધના, વરાછા,  સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો. જેથી  નોકરી- ધંધાર્થે જતા લોકોની મુશ્કેલી વધી હતી. 

Continues below advertisement

વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો. વલસાડ તાલુકામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો. વલસાડ શહેરના અલગ- અલગ વિસ્તાર તિથલ રોડ, હાલર રોડ, કચેરી રોડ, ગૌરવ પથ, તિથલ, ભાગડાવડા વિસ્તારમાં વરસાદથી  જનજીવન પ્રભાવિત થયું.  કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ખેતી પાકોને પણ પારાવાર નુકસાન થયું છે.

અંબાલાલ પટેલની વરસાદની આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની   આગાહી કરી છે. તેમના આંકલન મુજબ 2 નવેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં  હજુ  કમોસમી  વરસાદ વરસતો રહેશે.સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. ત્રણ દિવસના વિરામ બાદ 5 નવેમ્બરથી બીજી સિસ્ટમ  સક્રિય થશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ ખાડીમાં ફરી લો- પ્રેશર સિસ્ટમ  સક્રિય થશે. બંગાળ સાગરમાં લો-પ્રેશરના કારણે ગુજરાતનું  હવામાન બદલાશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડા સાથે ભાર વરસાદનું સંકટ હોવાની ચેતવણી આપી છે.  અંબાલાલ પટેલના આંકલન મુજબ દરિયામાં વારંવાર લો-પ્રેશરના કારણે હવામાનમાં પલટો નવેમ્બરમાં પણ પલટો આવતો રહશે. અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, વારંવાર ઋતુચક્ર બદલાતા ખેડૂતો  પાયમાલ થશે. અંબાલાલ  પટેલે ઠંડી વિશે પણ આગાહી કરી છે. તેમના આંકલન મુજબ  રાજ્યમાં  22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીની શરૂઆત થઇ જશે.