મંગળવારે મોડી રાત્રે કોંગ્રેસ મોવડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણયને કારણે આજે એટલે કે બુધવારે શક્તિસિંહ કે ભરતસિંહ બંનેમાંથી કોઈ ઉમેદવારી પાછી નહીં ખેંચે.
કોંગ્રેસે સત્તાવાર રીતે આ જાહેરાત કરી નથી પણ કોઈને ઉમેદવારી પાછી નહીં ખેંચવાનું કહેવાયું નથી તેથી કોંગ્રેસ બંને બેઠકો લડશે એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં હવે 26 માર્ચે ચૂંટણી યોજાશે એ નક્કી થઈ ગયું છે.