= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારત યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ 'એક રાષ્ટ્ર, એક નાગરિક સંહિતા' (યુનિફોર્મ સિવિલ કોડ)ની પણ ચર્ચા કરી હતી, જે તમામ નાગરિકો માટે કાયદાનો સમાન સમૂહ હોવાનું કહેવાય છે. તેને "ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા" ગણાવતા તેમણે કહ્યું કે તે ભારતને એક અને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. સમાન નાગરિક સંહિતાનો હેતુ દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદાનો અમલ કરવાનો છે, જેથી ધર્મ, જાતિ અથવા લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થાય.
'રાષ્ટ્રીય એકતા દિવસ' પર વડા પ્રધાન મોદીએ કહ્યું, "આજે આપણે બધા વન નેશન આઇડેન્ટિટી - આધારની સફળતા જોઈ રહ્યા છીએ અને વિશ્વ પણ તેના વિશે વાત કરી રહ્યું છે. અગાઉ ભારતમાં અલગ અલગ ટેક્સ સિસ્ટમ હતી, પરંતુ આપણે એક ટેક્સ વ્યવસ્થા જીએસટીનો કાયદો લાગુ કર્યો. આપણે એક રાષ્ટ્ર એક પાવર ગ્રીડથી દેશના વિજળી ક્ષેત્રને મજબૂત કર્યું છે. આપણે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડના માધ્યમથી ગરીબોને આપવામાં આવતી સુવિધાઓને એકીકૃત કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે, એકતા માટેના આપણા પ્રયાસોના ભાગરૂપે અમે હવે વન નેશન વન ઇલેક્શન તરફ કામ કરી રહ્યા છીએ, જે ભારતના લોકતંત્રને મજબૂત કરશે, જે ભારતના સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરશે અને દેશને વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં મદદ કરશે નવી ગતિ મળશે. આજે ભારત એક રાષ્ટ્ર નાગરિક સંહિતા એટલે કે સેક્યુલર નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યું છે."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'વન નેશન, વન ઇલેક્શન' પ્રસ્તાવ વડાપ્રધાન મોદીએ આશ્વાસન આપ્યું કે 'વન નેશન, વન ઇલેક્શન' નો વિચાર ટૂંક સમયમાં સાકાર થશે. તેમણે કહ્યું, "અમે 'વન નેશન, વન ઇલેક્શન' તરફ આગળ વધી રહ્યા છીએ, જે ભારતની લોકશાહીને મજબૂત કરશે અને વિકાસના સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે."
આ પ્રસ્તાવને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે અને આગામી શિયાળુ સત્રમાં સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. 'વન નેશન, વન ઇલેક્શન' નો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં એક જ દિવસે અથવા નિર્ધારિત સમય મર્યાદામાં તમામ ચૂંટણીઓ કરાવવાનો છે, જેથી સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે અને દેશના વિકાસને નવી ગતિ મળે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરે અલગતાવાદીઓને નકારી દીધા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (31 ઓક્ટોબર) ગુજરાતના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે આતંકવાદના આકાઓએ દેશ છોડવો પડશે.
લોકોને સંબોધતા તેમણે કહ્યું કે, હું 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદ્ભુત સંયોગ લઈને આવ્યો છે. આજે એક તરફ આપણે એકતાનો તહેવાર મનાવી રહ્યા છીએ તો બીજી તરફ દિવાળીનો પવિત્ર તહેવાર છે.
દિવાળીની હાર્દિક શુભકામનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "હું 'રાષ્ટ્રીય એકતા દિવસ' પર તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. આ વખતે રાષ્ટ્રીય એકતા દિવસ એક અદ્ભુત સંયોગ લઈને આવ્યો છે. આજે એક તરફ આપણે એકતાની ઉજવણી કરી રહ્યા છીએ, તો બીજી તરફ આપણે દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ. દિવાળી દીવડાઓના માધ્યમથી આખા દેશને જોડે છે. આખા દેશને પ્રકાશમય કરે છે. હવે તો દિવાળીનો પર્વ ભારતને દુનિયા સાથે જોડે છે. અનેક દેશોમાં તેને રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. હું તમામને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું.
'અલગતાવાદીઓને નકારી દેવામાં આવ્યા છે'
તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરે અલગતાવાદીઓને નકારી દીધા છે. હવે આતંકવાદના આકાઓએ દેશ છોડવો પડશે અને નક્સલવાદ ભારતની એકતા માટે પડકાર બની ગયો હતો અને આજે ભારતમાં નક્સલવાદ અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. આજે ભારત પાસે દિશા અને વિઝન બંને છે. વિશ્વના દેશો ભારત સાથે તેમની નિકટતા વધારી રહ્યા છે. અમે દાયકાઓ જૂના પડકારનો અંત કર્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
શપથગ્રહણ બાદ યુનિટી ડે પરેડનું કરાયું આયોજન શપથગ્રહણ બાદ યુનિટી ડે પરેડનો પ્રારંભ થયો હતો. પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસ જવાનો 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીઓ, NCC કેડેટ્સ અને માર્ચિંગ બેન્ડ સાથે 16 માર્ચિંગ ટુકડીઓ સામેલ છે. આ પરેડનું આકર્ષણ વધારવા NSGની હેલ માર્ચ ટુકડી, BSF અને CRPFના પુરુષ અને મહિલા બાઇકર્સની રેલી, BSF જવાનો દ્વારા માર્શલ આર્ટનું પ્રદર્શન, શાળાના બાળકોનો પાઇપ બેન્ડ શો અને ઇન્ડિયન એરફોર્સનો 'સૂર્ય કિરણ' ફ્લાયપાસ્ટ જેવા અદભૂત કાર્યક્રમ પણ સામેલ કરવામાં આવ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોદીએ એકતા દિવસ પર શપથ લેવડાવ્યા હતા મોદીએ એકતા દિવસ પર શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું સત્ય નિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પૂરો પ્રયાસ કરીશ.
હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરદર્શિતા અને કાર્યોના કારણે શક્ય બન્યું હતું. હું મારા દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારું યોગદાન આપવાનો પણ સત્ય નિષ્ઠાથી સંકલ્પ કરું છું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
"સરદાર પટેલની વિચારધારા આપણને હંમેશા પ્રેરણા આપશે" સરદાર પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "સરદાર પટેલની વિચારધારા આપણને હંમેશા પ્રેરણા આપશે. તેમના આદર્શો આપણને શીખવે છે કે દેશની એકતા અને અખંડિતતા આપણા માટે સર્વોચ્ચ છે."
પીએમ મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે "ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર મારા શત શત નમન. રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું એ તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે."
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એકતા પરેડનું નિરીક્ષણ કરી રાષ્ટ્રીય એકતાના પીએમે લેવડાવ્યા શપથ = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેવડિયા ખાતે યુનિટી ડે પરેડનું કરાયું આયોજન = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદીએ એકતાના શપથ લેવડાવ્યા