Samdhiyala Double Murder Case Live: હત્યાના 30 કલાક થવા છતાં હજુ પરિવારે નથી સ્વિકાર્યા મૃતદેહ, હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ

Samdhiyala Double Murder Case Live:   સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર કેસને લઈને હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસા ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.

gujarati.abplive.com Last Updated: 13 Jul 2023 11:07 PM
પરિવારે હજુ નથી સ્વિકાર્યા મૃતદેહ

બને યુવાનોની હત્યાને 30 કલાક થયા છતાં હજુ પરિવારજનો દ્વારા ડેડ બોડી સ્વીકારમાં આવી નથી. દિવસભર સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. દિવસમાં ત્રણ વખત સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ચક્કાજામ થયો હતો. આ ઘટનાને 30 કલાક થવા છતાં પણ ગાંધી હોસ્પિટલ ખાતે સમાજના લોકો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સમાજના તેમજ પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં હજુ સ્થિતિ ગંભીર હોવાની માહિતી સામે આવી છે.

મહિલાઓ દ્વારા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર ચક્કાજામ

ચુડા તાલુકાના સમઢીયાળા ગામે  ડબલ હત્યાનો મામલે ચક્કાજામ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર અનુ. જાતિ સમાજના યુવાનો અને મહિલાઓ અને આગેવાનોએ ચક્કાજામ કર્યો છે. રસ્તા પર બેસી ચક્કાજામ કરી ડબલ હત્યાના આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી છે. ચક્કાજામને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પોલીસે ચક્કાજામ કરી રહેલ લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

શક્તિસિંહ ગોહિલે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી

શક્તિસિંહ ગોહિલ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા છે. તેમની સાથે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ હાજર છે. હાલમાં  સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત છે. શક્તિસિંહ ગોહિલે પરિવારજનો સાથે સાંત્વના આપી અને યોગ્ય ન્યાય મળે તે માટે રાજકોટ રેન્જ આજી સાથે મુલાકાત કરી હતી.

રેન્જ આઇજી અશોકકુમાર યાદવનો ઘેરાવ

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવનો અનુ. જાતિના આગેવાનો અને પરિવારજનોએ ઘેરાવ કર્યો છે. લોકોએ ફરજ પર બેદરકારી દાખવનાર ચૂડા પીએસઆઈ સહિત જવાબદાર તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને ડીસમિસ કરવાની કરી માંગ કરી છે.  ડબલ હત્યાના તમામ આરોપીઓને ઝડપી પાડી કડક સજા કરવાની પણ માંગ કરી છે. જિલ્લા એસ.પી હરેશ દુદ્ધાતને સમાજનાં આગેવાનો દ્વારા શબ્દોથી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આરોપીઓને ઝડપી પાડવામાં નહિ આવે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

પીએસઆઈ સસ્પેન્ડ

 મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ સાથે બેઠક અને સમીક્ષા બાદ એક્શન લેવામાં આવ્યા છે. કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત  સ્પેશિયલ વકીલની નિમણુક કરવામાં આવશે. જ્યારે ફરજ પર બેદરકારી દાખવનાર ચુડાના તત્કાલીન પીએસઆઈ જે.બી.મીઠાપરા અને હાલના ચુડા મહિલા પીએસઆઈ ટી.જે.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.




હત્યાના તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિવારજનોએ ન્યાય આપવાની રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ખાતરી આપી છે. અલગ અલગ ટીમો બનાવી ખુબ જ ઝડપથી તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

બ્રેકગ્રાઉન્ડ

Samdhiyala Double Murder Case Live:   ચુડા તાલુકાના સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર કેસને લઈને હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ વધુ વણશે નહીં તે માટે પોલીસા ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ પીડિત પરિવારને મળવા માટે એક બાદ એક રાજકીય આગેવાનો પણ સમઢીયાળા પહોંચી રહ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં અનુ. જાતિના આગેવાનો સમઢીયાળા પહોંચ્યા છે. આ ઘટના અંગેના તમામ અપડેટ અમે તમને આ લાઈવ બ્લોકમાં આપતા રહીશું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.