નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એૈતિહાસિક સ્તરે પહોંચી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 133.72 મીટર પર પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની આવક 4 લાખ 6 હજાર 792 ક્યુસેક થઈ છે. પાણીની જાવક 4 લાખ 6 હજાર 581 ક્યુસેક છે.


ભરૂચ ,નર્મદા ,વડોદરા, નર્મદા કાંઠાના ગામોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલાતા ભરૂચની નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. નર્મદા નદીની જળ સપાટી 21.25 ફૂટ નોંધાઇ છે. કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે.