હિંમતનગરઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાના કેસોનો રાફડો ફાટતા સરકાર હરકતમાં આવી ગઈ છે અને ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દીધો છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને પગલે સાબરકાંઠા જિલ્લાના કેટલાક શહેરમાં સ્વયંભૂ લોકડાઉન લાદી દેવામાં આવી છે. હવે વડાલી શહેરમાં પણ કોરોનાના કેસ વધતા સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે.


સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા સાંજે 4 વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે તેવી જાહેરાત કરાઇ છે. સાબરકાંઠાના વડાલી આજથી 5 ડીસેમ્બર સુધી ચાર વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે. આ નિર્ણય વેપારી એસોસિએશન અને પાલિકાની મળેલ બેઠકમાં લેવાયો છે. આજથી વડાલી શહેરના વેપારીઓ સ્વયંભુ બજાર બંધ રાખશે.