સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 3548 પર પહોંચી ગઈ છે જ્યારે 162 લોકોનાં મોત નિપજ્યાં છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જે હવે ત્રીજી મેએ પૂર્ણ થાય છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતના 18 એવા જિલ્લાઓ છે જ્યાં સિંગલ ડિઝીટમાં કેસ નોંધાયેલા છે.


મહત્વની વાત એ છે કે, ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે 18 જિલ્લાઓ એવા છે જ્યાં સિંગલ ડિઝીટમાં કોરોનાના પોઝિટિસ કેસ નોંધાયેલા છે. જૂનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

દાહોદ, ડાંગ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ શહેરમાં સિંગલ ડિઝીટમાં કોરોનાના કેસ નોંધાયેલા છે. જ્યારે જૂનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. (આ તમામ આંકડા gujcovid19.gujarat.gov.in પરથી લેવામાં આવેલા છે.)